માહિતી અને પ્રસારણ મંત્રાલય
પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકારત્વમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અપાતા રાષ્ટ્રીય પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી છે
અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ, 2019
प्रविष्टि तिथि:
12 JUL 2019 3:39PM by PIB Ahmedabad
પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા નેશનલ એવોર્ડ ફોર એકસેલન્સ ઇન જર્નલિઝમ-2019 (પત્રકારત્વમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડ) માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડમાં રોકડ ઇનામ તથા પ્રશસ્તિ પત્રનો સમાવેશ થાય છે. આ એવોર્ડ અલગ અલગ આઠ શ્રેણીમાં આપવામાં આવશે.
શ્રેણી રોકડ પુરસ્કાર
- પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે રાજારામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર રૂ. 100000
- ગ્રામીણ પત્રકારત્વ રૂ. 50000
- વિકાસ સંબંધિત રિર્પોટીંગ રૂ. 50000
- ફોટો પત્રકારત્વ
સીંગલ ન્યુઝ પિક્ચર રૂ. 50000
ફોટો ફીચર રૂ. 50000
- સર્વોત્તમ સમાચાર પત્ર કળા: જેમા કાર્ટુન, વ્યંગ ચિત્રો તથા
ચિત્રકળા સામેલ હોય રૂ. 50000
- રમત-ગમતનું રિપોર્ટીંગ/ સ્પોર્ટસ ફોટો ફીચર રૂ. 50000
- આર્થિક રિપોર્ટીગ રૂ. 50000
- લૈંગિક બાબતોનું રિપોર્ટીગ રૂ. 50000
પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતા માટે રાજા રામ મોહન રાય રાષ્ટ્રીય પુરસ્કાર શ્રેણીમાં માટે નામાંકન જ્યુરી કમિટિ પોતે નક્કી કરશે, આથી આ શ્રેણી માટે અરજીઓ આવકાર્ય નથી.
આ પુરસ્કાર માટે અરજી ભરવા અંગેની પ્રક્રિયા, પાત્રતા, માપદંડો, અરજી માટેનું ફોર્મ વગેરે પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ www.presscounsil.nic.in પરથી મેળવી શકાશે. અરજી બંધ કવરમાં પ્રતિ - સેક્રેટરી, પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા, સૂચના ભવન, 8-સીજીઓ કોમ્પ્લેક્ષ, લોધી રોડ, નવી દિલ્હી-110003 ખાતે મોકલવાની રહેશે. અરજીઓ 30 ઓગસ્ટ, 2019 સાંજે પાંચ વાગ્યા સુધી મળી રહે તે રીતે મોકલવાની રહેશે. અરજીની એડવાન્સ કોપી secy-pci[at]nic[dot]in પર ઇ-મેઇલ કરી શકાશે.
પૃષ્ઠભૂમિ
પ્રિન્ટ જર્નલિઝમ ક્ષેત્રે ભારતીય નાગરિકતા ધરાવતા પત્રકાર/ફોટો પત્રકારોના ઉત્કૃષ્ઠ યોગદાનને બિરદાવવા આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે. 16 નવેમ્બર, નેશનલ પ્રેસ ડે (રાષ્ટ્રીય અખબાર દિવસ) પ્રસંગે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
DK/NP/J.Khunt/RP
(रिलीज़ आईडी: 1578597)
आगंतुक पटल : 407