નાણા મંત્રાલય
15 એપ્રિલ 2018થી ગુજરાત, કેરળ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં રાજ્યોની અંદર માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલીનો અમલ શરૂ થશે
Posted On:
10 APR 2018 11:26AM by PIB Ahmedabad
નવી દિલ્હી, 10-04-2018
જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે માલ-સામાનની તમામ આંતર રાજ્ય હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 01 એપ્રિલ, 2018થી જાહેર કરી દેવામાં આવી હતી. કર્ણાટક રાજ્યમાં પણ રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટેની ઈ-વે બિલ પ્રણાલીને 1 એપ્રિલ, 2018 થી શરૂ કરી દેવામાં આવી છે. 09 એપ્રિલ, 2018 સુધીમાં ત્રેસઠ લાખથી વધુ ઈ-વે બિલ સફળતાપૂર્વક કાઢવામાં આવ્યા છે.
આથી અત્રે નોંધનીય છે કે નીચે જણાવેલ રાજ્યોમાં રાજ્યની અંદર માલસામાનની હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી 15 એપ્રિલ, 2018થી અમલમાં મૂકવામાં આવશે.
- આંધ્ર પ્રદેશ
- ગુજરાત
- કેરળ
- તેલંગાણા
- ઉત્તર પ્રદેશ
આ રાજ્યોમાં ઈ-વે બિલ પદ્ધતિની શરૂઆત સાથે જ એવી આશા સેવાઇ રહી છે કે, જ્યાં સુધી સામાનનાં પરિવહનને લગતી વાત છે ત્યાં સુધી વ્યાપાર અને ઉદ્યોગને અનુકુળતા મળી રહેશે અને તેનાથી રાષ્ટ્રવ્યાપી એક જ ઈ-વે બિલ પ્રણાલીનો માર્ગ મોકળો બનશે. આ રાજ્યોમાં આવેલા વ્યાપાર અને ઉદ્યોગ તથા સામાન લઇ જનારા વાહનચાલકોએ https://www.ewaybillgst.gov.in નામના ઈ-વે બિલ પોર્ટલ પર જઈને અંતિમ તારીખની રાહ જોયા વિના તાત્કાલિક તેમની નોંધણી/સભ્યપદનું નામાંકન કરાવવાની સલાહ આપવામાં આવે છે.
J.Khunt/GP
(Release ID: 1528451)
Visitor Counter : 146