પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશનાં વિવિધ ભાગોમાં થયેલી હિંસક ઘટનાઓને આકરાં શબ્દોમાં વખોડી કાઢી
ગૃહમંત્રી સાથે ચર્ચા કરી જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે
Posted On:
07 MAR 2018 10:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશનાં અમુક વિસ્તારોમાં થયેલી હિંસાની ઘટનાઓને આકરાં શબ્દોમાં વખોડી કાઢી છે અને જણાવ્યું છે કે, આ ઘટનાઓનાં દોષિતો સામે કડક કામગીરી કરવામાં આવશે. દેશનાં અમુક રાજ્યોમાં મૂર્તિઓ તોડી પાડવાની ઘટનાઓ બની છે. આ વિશે પ્રધાનમંત્રીએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી હતી અને આ પ્રકારની ઘટનાઓ પર ચિંતા તથા નારાજગી વ્યક્ત કરી હતી. ગૃહ મંત્રાલયે આ હિંસક ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે, રાજ્ય સરકારોએ આ પ્રકારની ઘટનાઓ અટકાવવા જરૂરી તમામ પગલાં લે. આ પ્રકારનાં કૃત્યોમાં સંકળાયેલા તત્વો સામે કડક કામગીરી કરવા અને કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ તેમની અટકાયત કરવામાં આવે.
RP
(Release ID: 1522882)
Visitor Counter : 191