નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

NLMCની 21મી બોર્ડ બેઠકમાં મોનેટાઇઝેશન પ્રોગ્રામની પ્રગતિની સમીક્ષા કરાઈ; સંપત્તિના ઝડપી મુદ્રીકરણ પર ભાર મૂકાયો


₹5,000 કરોડથી વધુની કિંમતની દરખાસ્તોને મોનેટાઇઝેશન માટે ભલામણ કરવામાં આવી

બોર્ડ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક નાણાકીય નિવેદનો અને સંચાલકોના અહેવાલને મંજૂરી અપાઈ

પોસ્ટેડ ઓન: 19 SEP 2026 10:54AM by PIB Ahmedabad

નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન લિમિટેડ (NLMC)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 21મી બેઠક 18 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાઈ હતી, જેમાં કોર્પોરેશનના ચાલુ એસેટ મોનેટાઇઝેશન (સંપત્તિના મુદ્રીકરણ) કાર્યક્રમ, નાણાકીય કામગીરી અને મુખ્ય સંસ્થાકીય પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકનું એક મુખ્ય પાસું ₹5,000 કરોડથી વધુ મૂલ્યની સંપત્તિઓના મોનેટાઇઝેશન અંગેના પ્રસ્તાવો પર વિચારણા અને ભલામણ કરવાનું હતું. આ પ્રસ્તાવોમાં મુદ્રીકરણ માટે ચિહ્નિત કરાયેલી વધારાની જમીન અને ઈમારતોનો સમાવેશ થાય છે; તે ઓછો ઉપયોગ થતી અને વધારાની સંપત્તિઓનું અનલૉક પાડવાના સરકારના ઉદ્દેશ્યને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

બોર્ડે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs) અને અન્ય સરકારી સંસ્થાઓની વધારાની સંપત્તિઓના મોનેટાઇઝેશનની સુવિધા આપવામાં NLMC દ્વારા કરવામાં આવેલી પ્રગતિની સમીક્ષા કરી. કોર્પોરેશન પારદર્શિતા, કાર્યક્ષમતા અને મૂલ્યની પ્રાપ્તિ પર ભાર મૂકીને, યોગ્ય સંપત્તિઓને ઓળખવા, જરૂરી ડ્યુ ડિલિજન્સ હાથ ધરવા, મૂલ્યાંકનની સુવિધા આપવા અને યોગ્ય મોનેટાઇઝેશન પ્રક્રિયાઓની રચના કરવા માટે સંપત્તિ ધરાવતી સંસ્થાઓ સાથે નજીકથી કામ કરી રહ્યું છે.

બોર્ડને NLMC દ્વારા હાથ ધરવામાં આવેલ એસેટ મોનેટાઇઝેશનની ગતિ અને પ્રગતિથી માહિતગાર કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંપત્તિ ધરાવતી સંસ્થાઓમાં આગળ વધારવામાં આવી રહેલી પહેલોનો સમાવેશ થાય છે. ચર્ચાઓમાં મોનેટાઇઝેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા, અમલીકરણ સંબંધિત જરૂરિયાતોને સંબોધવા અને એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે ઓળખાયેલી સંપત્તિઓ યોગ્ય અને પારદર્શક મિકેનિઝમ દ્વારા આગળ વધે.

પ્રગતિની પ્રશંસા કરતા, બોર્ડે વધારાની સંપત્તિઓના સમયસર મોનેટાઇઝેશનની સુવિધા માટે ગતિ જાળવી રાખવા અને હિતધારક સંસ્થાઓ સાથે સંકલન મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

બોર્ડે વધુમાં નાણાકીય વર્ષ 2025-26 માટે NLMCના વાર્ષિક નાણાકીય નિવેદનો અને ડિરેક્ટર્સ રિપોર્ટને મંજૂરી આપી.

આ મીટિંગે તેની સંસ્થાકીય અને ઓપરેશનલ ક્ષમતાઓને મજબૂત કરવા અને સંપત્તિ માટે વધુ માળખાગત ફ્રેમવર્ક બનાવવાના ઉદ્દેશ્યથી NLMCની ચાલુ પહેલોની સમીક્ષા કરવાની તક પણ પૂરી પાડી.

બોર્ડ દ્વારા ₹5,000 કરોડથી વધુની સંપત્તિઓ ધરાવતી દરખાસ્તોની ભલામણ સરકારના એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામમાં NLMCની ભાગીદારીના વધતા વ્યાપને રેખાંકિત કરે છે. વધારાની જમીન અને ઇમારતોની સંપત્તિઓના ઉત્પાદક ઉપયોગની સુવિધા આપીને, NLMCએ સંપત્તિઓમાંથી મૂલ્ય અનલૉક કરવામાં યોગદાન આપવા માંગે છે જે અન્યથા ઓછા ઉપયોગમાં રહી શકે છે, જ્યારે સંપત્તિ ધરાવતી સંસ્થાઓને પારદર્શક અને વ્યાપારી રીતે યોગ્ય મોનેટાઇઝેશનની તકો મેળવવામાં સમર્થન આપે છે.

ભારત સરકારના વ્યાપક એસેટ મોનેટાઇઝેશન ઉદ્દેશ્યો સાથે સુસંગત રહીને, બોર્ડે વધારાની સંપત્તિઓના કાર્યક્ષમ, પારદર્શક અને મૂલ્ય-લક્ષી મોનેટાઇઝેશન પર NLMCના સતત ધ્યાનને પુનરાવર્તિત કર્યું. વધારાની સંપત્તિઓની ઓળખ અને મોનેટાઇઝેશનની સુવિધા આપવા અને જાહેર સંસાધનોના અસરકારક ઉપયોગને ટેકો આપવા માટે કોર્પોરેશન સંબંધિત મંત્રાલયો, વિભાગો, CPSEs અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન લિમિટેડ (NLMC) વિશે

નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન લિમિટેડ (NLMC) એ સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની કંપની છે જે નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE)ના વહીવટી નિયંત્રણ હેઠળ છે. NLMCની સ્થાપના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs) અને અન્ય સરકારી સંસ્થાઓની વધારાની જમીન અને ઇમારતોની સંપત્તિઓના મોનેટાઇઝેશનને હાથ ધરવા અને સુવિધા આપવા માટે કરવામાં આવી છે.
NLMC યોગ્ય અને પારદર્શક મિકેનિઝમ દ્વારા વધારાની સંપત્તિઓની ઓળખ, આકારણી અને મોનેટાઇઝેશનની સુવિધા માટે સંપત્તિ ધરાવતી સંસ્થાઓ સાથે કામ કરે છે. તેનો આદેશ વધારાની જાહેર સંપત્તિઓનું મૂલ્ય અનલૉક કરવાનો અને સરકારના વ્યાપક એસેટ મોનેટાઇઝેશન ઉદ્દેશ્યોને સમર્થન આપવાનો છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2312328) મુલાકાતી સંખ્યા : 28