પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 9/11 હુમલાના પીડિતોને યાદ કર્યા અને આતંકવાદ સામે લડવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો
પોસ્ટેડ ઓન:
11 SEP 2026 11:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9/11 ના ભયાનક હુમલાના પીડિતોને તેમની 25મી વર્ષગાંઠ પર યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી, સાથે જ જે પરિવારોનું જીવન કાયમ માટે બદલાઈ ગયું હતું તેમના પ્રત્યે લાગણી વ્યક્ત કરી.
શ્રી મોદીએ જણાવ્યું કે આતંકવાદે વિશ્વભરમાં અસંખ્ય લોકોના ભોગ લીધા છે અને નોંધ્યું કે, સરહદ પારના આતંકવાદના પીડિત તરીકે, ભારત છેલ્લા કેટલાક દાયકાઓથી આતંકવાદ સામેની લડાઈમાં મોખરે રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે આતંકવાદનો ભય સતત વધી રહ્યો છે અને તેનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, ત્યારે તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ સામે ભારતનો સંકલ્પ અને વિરોધ અડગ છે. તેમણે આ દૂષણ સામે લડવાના તમામ પ્રયાસો સાથે એકતાની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ 2014માં 9/11 મેમોરિયલ અને મ્યુઝિયમની તેમની મુલાકાતની ઝલક પણ શેર કરી હતી.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“ભયાનક 9/11 હુમલાના 25 વર્ષ પછી, આપણે પીડિતોને યાદ કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તથા જેમના જીવન કાયમ માટે બદલાઈ ગયા તેવા પરિવારો સાથે એકતાની લાગણી વ્યક્ત કરીએ છીએ.
આતંકવાદે વિશ્વભરમાં અસંખ્ય લોકોના ભોગ લીધા છે. સરહદ પારના આતંકવાદના પીડિત તરીકે, ભારત છેલ્લા કેટલાક દાયકાઓથી આ લડાઈમાં મોખરે રહ્યું છે.
જ્યારે આ ભય સતત વધી રહ્યો છે, તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ સામેનો અમારો સંકલ્પ અને વિરોધ અડગ છે. આ દૂષણ સામે લડવાના તમામ પ્રયાસો સાથે અમે એકતાની લાગણી સાથે ઊભા છીએ.
2014માં 9/11 મેમોરિયલ અને મ્યુઝિયમની મારી મુલાકાતની કેટલીક ઝલક અહીં પ્રસ્તુત છે.”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad