કૃષિ મંત્રાલય
9મી આસિયાન-ઈન્ડિયા મિનિસ્ટ્રિયલ મીટિંગ ઓન એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી અને 10મી આસિયાન-ઈન્ડિયા એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ
પોસ્ટેડ ઓન:
09 SEP 2026 8:09PM by PIB Ahmedabad
9 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી 9મી આસિયાન-ઈન્ડિયા મિનિસ્ટ્રિયલ મીટિંગ ઓન એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રીએ વધુ ખાદ્ય-સુરક્ષિત, ટકાઉ અને સ્થિતિસ્થાપક કૃષિ ભવિષ્ય બનાવવાની ભારત અને આસિયાનની સહિયારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ફિલિપાઇન્સના કૃષિ વિભાગના સચિવ એચ.ઈ. ફ્રાન્સિસ્કો પી. ટિયુ લોરેલ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની સહ-અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વ્યવહારુ, ખેડૂત-કેન્દ્રી સહયોગ અને કૃષિ તથા વન ક્ષેત્રે આસિયાન-ઇન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
મંત્રીઓએ ટકાઉ અને સ્થિતિસ્થાપક વિકાસને આગળ વધારવા માટેના વ્યૂહાત્મક માળખા તરીકે આસિયાન 2045: અવર શેર્ડ ફ્યુચર અને આસિયાન ફૂડ, એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી સેક્ટરલ પ્લાન 2026-2030 નું સ્વાગત કર્યું હતું. તેઓ નીતિ વિષયક સંવાદ, ડિજિટલ ઇનોવેશન, ટેકનોલોજી સહયોગ, સંયુક્ત સંશોધન, ક્ષમતા નિર્માણ અને ખેડૂતોના આદાન-પ્રદાન જેવા ક્ષેત્રોમાં પ્રાથમિકતાઓ સાથે કૃષિ અને વન ક્ષેત્રે સહયોગ માટેના આસિયાન-ઇન્ડિયા મીડિયમ-ટર્મ પ્લાન ઓફ એક્શન 2026-2030 ને અપનાવવા અને તેનો અમલ કરવા માટે પણ આશાવાદી હતા.
આ બેઠકમાં આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિ, ઓછું ઉત્સર્જન કરતા ડાંગર, પાણીની ઉત્પાદકતા, AI-સક્ષમ ડિજિટલ કૃષિ, જમીનનું આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, લણણી પછીનું વ્યવસ્થાપન, સરક્યુલર બાયોઇકોનોમી, એગ્રોફોરેસ્ટ્રી અને સ્થિતિસ્થાપક મૂલ્ય શ્રૃંખલાઓને વ્યવહારુ અને વિસ્તરણ યોગ્ય સહયોગ માટેના મુખ્ય ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા હતા. કૃષિ ક્ષેત્રે નવીનતાઓને વ્યાપકપણે અપનાવવાની ગતિ વધારવા માટે મંત્રીઓએ સંશોધન સંસ્થાઓ, ટેકનોલોજી ડેવલપર્સ, વિસ્તરણ એજન્સીઓ, ખાનગી ક્ષેત્ર અને ખેડૂતો વચ્ચે મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં માર્કેટ કનેક્ટિવિટી, મૂલ્ય વર્ધન અને કૃષિ તથા વન લોજિસ્ટિક્સને મજબૂત કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે આબોહવા પરિવર્તન, આત્યંતિક હવામાન ઘટનાઓ, ભૌગોલિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓ, ઇનપુટ-માર્કેટમાં અસ્થિરતા, વેપારમાં વિક્ષેપ અને સરહદ પારના જંતુઓ તથા રોગો જેવા ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે વધુ સહયોગની જરૂરિયાતને સ્વીકારવામાં આવી હતી.
એક મહત્વપૂર્ણ હાઇલાઇટ 'ઇન્ડિયા-આસિયાન ફ્રેન્ડશિપ સ્પાઇક ફોર એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી' નું અનાવરણ હતું, જે કૃષિ અને વન સહયોગ તરફ ભારત અને આસિયાનની કાયમી ભાગીદારી અને સહિયારી કટિબદ્ધતાનું પ્રતીક છે.
કાર્યક્રમના ભાગરૂપે, મુલાકાતે આવેલા મહાનુભાવોએ ICAR-ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IARI), પૂસાની મુલાકાત લીધી હતી, જેમાં સેન્ટર ઓફ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન, બાજરી અને ડાંગરના ખેતરો, નાનાજી દેશમુખ ફેનોમિક્સ ફેસિલિટી અને ICAR-નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ (NBPGR) ની જીન બેંકનો સમાવેશ થાય છે. આ મુલાકાતે પ્રતિનિધિમંડળને પાક સંશોધન, આધુનિક કૃષિ પદ્ધતિઓ અને વનસ્પતિ જનીન સંસાધનોના સંરક્ષણ ક્ષેત્રે ભારતની પ્રગતિની આંતરદ્રષ્ટિ આપી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ DARE ના સચિવ અને ICAR ના ડિરેક્ટર જનરલ ડો. એમ.એલ. જાટે કર્યું હતું.
આસિયાનના મંત્રીઓ/પ્રતિનિધિમંડળના વડાઓએ ભારતીય વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યાપાર/ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપ કર્યો હતો, જેનાથી કૃષિ અને વન ક્ષેત્રે સંશોધન, નવીનતા, ટેકનોલોજી આદાન-પ્રદાન અને ઔદ્યોગિક સહયોગ માટે મજબૂત સંબંધોને પ્રોત્સાહન મળ્યું હતું.
બેઠકમાં સંમતિ સાધવામાં આવી હતી કે 10મી આસિયાન-ઈન્ડિયા મિનિસ્ટ્રિયલ મીટિંગ ઓન એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી 2028 માં યોજાશે.
10મી આસિયાન-ઈન્ડિયા એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક
10મી આસિયાન-ઈન્ડિયા એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક 8 સપ્ટેમ્બર 2026 ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં 11 આસિયાન સભ્ય દેશોના 45 પ્રતિનિધિઓ કૃષિ અને વન ક્ષેત્રે આસિયાન-ભારત સહયોગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચાર-વિમર્શ માટે એકઠા થયા હતા.
વર્કિંગ ગ્રુપની બેઠકની સહ-અધ્યક્ષતા ભારત અને ફિલિપાઇન્સ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ભારતનું નેતૃત્વ DARE ના સચિવ અને ICAR ના ડિરેક્ટર જનરલ ડો. એમ.એલ. જાટ કરી રહ્યા હતા અને ફિલિપાઇન્સ આસિયાનના અધ્યક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું.
મંત્રી સ્તરની બેઠકની સાથે યોજાયેલા એક પ્રદર્શનમાં નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ, ICT, એનિબલ સાયન્સ, ફિશરીઝ સાયન્સ અને હોર્ટિકલ્ચરલ સાયન્સ ક્ષેત્રે ICAR ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડે છે.
આ પ્રદર્શનમાં જમીનનું આરોગ્ય અને સ્થિતિસ્થાપક ખેતીના ઉકેલો; કિસાન સારથિ, જે 3,500 થી વધુ KVK નિષ્ણાતો અને 4,500 ICAR વૈજ્ઞાનિકો દ્વારા 13 ભારતીય ભાષાઓમાં 3.5 લાખથી વધુ ગામડાઓમાં 3.03 કરોડ નોંધાયેલા ખેડૂતોને ટેકો આપે છે; સ્વદેશી આફ્રિકન સ્વાઇન ફીવર રસી અને રોગની આગોતરી ચેતવણી સિસ્ટમ્સ; 40-50 ટન, 120 દિવસના ઝીંગા ઉછેર મોડેલ સહિત ફિશરીઝ ઇનોવેશન્સ; અને વૈવિધ્યસભર પાકો, મસાલાઓ, મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને એરોપોનિક્સ દ્વારા વાયરસ મુક્ત બટાટાના બીજ ઉત્પાદનને આવરી લેતી બાગાયતી ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી હતી.
ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવા માટે 8 સપ્ટેમ્બર 2026 ના રોજ એક વાઇબ્રન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2308521)
મુલાકાતી સંખ્યા : 7