ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પણજી, ગોવામાં પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકની અધ્યક્ષતા કરી


પશ્ચિમી ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ છે અને દેશનું સૌથી મોટું આર્થિક, ઔદ્યોગિક અને નાણાકીય કેન્દ્ર છે

2014 થી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનેક વહીવટી સુધારાઓ દ્વારા દેશના અર્થતંત્રને સતત ગતિ આપી છે

પશ્ચિમી ક્ષેત્ર દેશની આર્થિક વૃદ્ધિના 'WEST' એન્જિન તરીકે ઓળખાય છે

W એટલે વેલ્થ અને ફાઇનાન્સ, E એટલે એક્સપોર્ટ અને પોર્ટ્સ, S એટલે સ્ટાર્ટ-અપ્સ અને સેમિકન્ડક્ટર્સ, અને T એટલે ટૂરિઝમ અને બ્લુ ઇકોનોમી, આ ક્ષેત્રોમાં પશ્ચિમી ક્ષેત્ર દેશમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે

12 વર્ષમાં, પ્રધાનમંત્રી મોદીએ બંધારણમાં સમાવિષ્ટ સહકારી સંઘવાદની જોગવાઈને સાકાર કરી છે

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં, ક્ષેત્રીય પરિષદો વિકાસ અને જાહેર કલ્યાણના ક્ષેત્રમાં આગળ વધી રહી છે, અને બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે

2004–14 દરમિયાન, ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ 25 બેઠકો યોજાઈ હતી; 2014 થી, કુલ 71 બેઠકો યોજાઈ છે, જે લગભગ ત્રણ ગણો વધારો છે

બેઠકોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો એ પ્રધાનમંત્રી મોદીના 'ટીમ ઇન્ડિયા'ના વિઝનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

આ બેઠકોમાં કુલ 1,893 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 1,445 નો ઉકેલ લાવવામાં આવ્યો છે, જે આ બેઠકોની કાર્યક્ષમતા અને અસરાકારકતા દર્શાવે છે

ક્ષેત્રીય પરિષદો હવે વિવાદ નિવારણને બદલે જાહેર કલ્યાણ યોજનાઓના અમલીકરણનું નિરીક્ષણ કરવાનું એક સાધન બની ગઈ છે

પશ્ચિમી ક્ષેત્રના રાજ્યો વચ્ચે હવે કોઈ વિવાદો નથી; આ એક મોટી સિદ્ધિ છે

પશ્ચિમી ક્ષેત્રે નવી ન્યાય સંહિતાઓનો અમલ કરવામાં અને ડ્રગ્સ સામે ભારતની લડાઈને સફળ બનાવવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ

રાજ્યોની તમામ અર્બન કોઓપરેટિવ બેંકોને CFCFRMS સાથે જોડવી જોઈએ

તમામ મુખ્યમંત્રીઓએ દરિયાઈ સુરક્ષા અને નાર્કોટિક્સને પોતાના એજન્ડાનો ભાગ બનાવવો જોઈએ

પોસ્ટેડ ઓન: 07 SEP 2026 4:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પણજી, ગોવામાં પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને દાદરા અને નાગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ્લ કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકાર અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ પણ પરિષદની બેઠકમાં ભાગ લીધો હતો.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગોવા તેના ભૌગોલિક કદ કરતાં પણ અદ્યતન ટૂરિઝમ, ઊંચી માથાદીઠ આવક અને ખાણોના કારણે આર્થિક વૃદ્ધિમાં વધુ યોગદાન આપે છે. તેમણે કહ્યું કે તાજેતરમાં, દેશે નાણાકીય વર્ષ 2026–2027 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો ગ્રોથ રેટ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતીય અર્થતંત્રે આવો ગ્રોથ રેટ નોંધાવવો એ આપણા બધા માટે ગૌરવની વાત છે. શ્રી શાહે જણાવ્યું હતું કે પશ્ચિમી ક્ષેત્ર અનેક દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે અને આ ક્ષેત્ર દેશનું સૌથી મોટું આર્થિક, ઔદ્યોગિક અને નાણાકીય કેન્દ્ર છે.

CR3_0835.JPG.jpeg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2014 થી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને ઝડપથી આગળ વધતા અર્થતંત્રમાં રૂપાંતરિત કરવા માટે અનેક વહીવટી સુધારાઓ સાથે સતત કામ કર્યું છે. તેમણે કહ્યું કે દમણ અને દીવ, દાદરા અને નાગર હવેલી તથા પશ્ચિમી ક્ષેત્રીય પરિષદના ત્રણ રાજ્યોએ પણ 7.8 ટકાનો ગ્રોથ રેટ પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમી ક્ષેત્ર દેશની આર્થિક વૃદ્ધિના 'WEST' એન્જિન તરીકે ઓળખાય છે. W એટલે વેલ્થ અને ફાઇનાન્સ, જે આ ક્ષેત્રમાં જનરેટ થાય છે; E એટલે એક્સપોર્ટ અને પોર્ટ્સ; S એટલે સ્ટાર્ટ-અપ્સ અને સેમિકન્ડક્ટર્સ; અને T એટલે ટૂરિઝમ અને બ્લુ ઇકોનોમી, જેમાં પશ્ચિમી ક્ષેત્ર દેશમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ગોવાની મુલાકાતે 1 કરોડથી વધુ પ્રવાસીઓ આવે છે, જેમાંથી 5 લાખ વિદેશી પ્રવાસીઓ છે. ગોવાના GSDP માં ટૂરિઝમનું યોગદાન 16% છે. 33,872 સ્ટાર્ટ-અપ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. ધોલેરા હવે સેમિકન્ડક્ટર ક્ષેત્રે એક હબ બની ગયું છે. ગુજરાતનું મુન્દ્રા પોર્ટ સૌથી વધુ કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરે છે અને દિનદયાળ પોર્ટ કાર્ગો વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટું પોર્ટ છે. દેશની નાણાકીય રાજધાની મુંબઈ પણ વૈશ્વિક મૂડી માટેના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષોમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા બંધારણમાં સમાવિષ્ટ સહકારી સંઘવાદની જોગવાઈને સાકાર કરવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી, ક્ષેત્રીય પરિષદોની બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે 2004 થી 2014 દરમિયાન, ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ બેઠકો માત્ર 25 હતી, જ્યારે 2014 થી, ક્ષેત્રીય પરિષદો અને તેમની સ્થાયી સમિતિઓની કુલ 71 બેઠકો યોજાઈ છે, જે લગભગ ત્રણ ગણો વધારો છે. તેમણે કહ્યું કે બેઠકોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો એ પ્રધાનમંત્રી મોદીના 'ટીમ ઇન્ડિયા'ના વિઝનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બેઠકોમાં કુલ 1,893 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 1,445 મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આ પરિણામ આ બેઠકોની કાર્યક્ષમતા અને અસરાકારકતા સૂચવે છે. આંતર-રાજ્ય પરિષદ સચિવાલયે સક્રિય ભૂમિકા ભજવીને તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સહયોગથી આ શક્ય બન્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ક્ષેત્રીય પરિષદો હવે વિવાદ નિવારણને બદલે જાહેર કલ્યાણ યોજનાઓના અમલીકરણનું નિરીક્ષણ કરવાનું એક સાધન બની ગઈ છે. તેમણે કહ્યું કે, પશ્ચિમી ક્ષેત્રના રાજ્યો વચ્ચે હવે કોઈ વિવાદો નથી; આ એક મોટી સિદ્ધિ છે. શ્રી શાહે એમ પણ કહ્યું હતું કે આજની બેઠકમાં સમાવિષ્ટ તમામ મુદ્દાઓ મોનિટરિંગ સાથે સંબંધિત હતા. નદીઓ અંગેના રાજ્યો વચ્ચેના અનેક વિવાદોનો પણ ક્ષેત્રીય પરિષદમાં ઉકેલ લાવવામાં આવ્યો છે. બાળ કુપોષણ, ઓછું વજન અને સ્ટંટિંગ પર પણ ક્ષેત્રીય પરિષદો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. આધારના વ્યાપનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને આયુષ્માન ભારત કાર્ડનો સફળ અમલ સુનિશ્ચિત કરવા માટે અહીં મોનિટરિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

પશ્ચિમી ક્ષેત્રે નવી ન્યાય સંહિતાઓના અમલીકરણમાં અને ડ્રગ્સ સામે ભારતની લડાઈને સફળ બનાવવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવવી જોઈએ. પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) ના કોમ્પ્યુટરાઇઝેશનમાં પણ સારું કામ થયું છે, જેમાં મહારાષ્ટ્ર 98 ટકા અને ગુજરાત 92 ટકાનો દર પ્રાપ્ત કરી ચૂક્યું છે. તેમણે કહ્યું કે રાજ્યોએ બનાસ ડેરી દ્વારા સ્થાપિત ગોબરધન મોડેલને પણ અપનાવવું જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી પ્રગતિ (PRAGATI) દ્વારા સાયબર ક્રાઇમ સામેની વ્યૂહરચનાનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાજ્યોની તમામ અર્બન કોઓપરેટિવ બેંકો FCFRS સાથે જોડાયેલી હોવી જોઈએ. કોઓપરેટિવ બેંકોને MuelHunter AI સાથે સંકલિત કરવા માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તમામ કોઓપરેટિવ બેંકો I4C સાથે જોડાયેલી હોય તે સુનિશ્ચિત કરવા માટે આપણે આગળ વધવાની જરૂર છે. મુખ્યમંત્રીઓએ દરિયાઈ સુરક્ષા અને નાર્કોટિક્સને પોતાના એજન્ડાનો ભાગ બનાવવો જોઈએ. આગામી બે વર્ષમાં, ગૃહ મંત્રાલય દરિયાઈ સુરક્ષા પર ખૂબ જ ગંભીરતાથી આગળ વધશે.

CR3_1157.JPG.jpeg

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદના ચારેય સભ્યો ગ્રીન એનર્જીમાં પણ દેશમાં અગ્રેસર છે. ભારત સરકારે ડેટા સેન્ટરો માટે ખૂબ જ નફાકારક નીતિ ઘડી છે, અને તેનો મહત્તમ લાભ લેવો જોઈએ. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ક્ષેત્રીય પરિષદો વિકાસ અને જાહેર કલ્યાણના ક્ષેત્રોમાં આગળ વધી રહી છે.

CR5_1002.JPG (1).jpeg

પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 28મી બેઠકમાં, સભ્ય રાજ્યો તેમજ દેશ માટે અનેક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાં મહિલાઓ અને બાળકો સામેના બળાત્કારના કેસોની ઝડપી તપાસ અને ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો અમલ, ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS-112) ને લગતા મુદ્દાઓ, ખાદ્ય સુરક્ષા ધોરણોને લગતા મુદ્દાઓ, આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, દરેક ગામના નિર્ધારિત ત્રિજ્યામાં બ્રિક-એન્ડ-મોર્ટાર બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવી, રેલવે વિકાસ પ્રોજેક્ટ્સને લગતા મુદ્દાઓ, પર્યાવરણીય મંજૂરીઓને લગતા મુદ્દાઓ અને અન્યનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં અર્બન માસ્ટર પ્લાનિંગ, વીજ પુરવઠાને લગતા મુદ્દાઓ, પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACSs) ને મજબૂત બનાવવી, પોષણ અભિયાન દ્વારા બાળકોમાં કુપોષણ દૂર કરવું, શાળાના બાળકોમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવો, આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સરકારી હોસ્પિટલોની ભાગીદારી, અને સાયબર ક્રાઇમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2307494) મુલાકાતી સંખ્યા : 32