સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

નશા મુક્ત ભારત અભિયાનની 6ઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ડ્રગ્સના દુરુપયોગ સામે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા


નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દેશવ્યાપી જાગૃતિ અભિયાનો દ્વારા 13.71 કરોડથી વધુ યુવાનો અને 10.65 કરોડ મહિલાઓ સહિત 34.56 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચવામાં આવી છે

NMBA ઈ-પ્રતિજ્ઞા https://nashamukt.dosje.gov.in/epledge પર

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 7:09PM by PIB Ahmedabad

નશા મુક્ત ભારત અભિયાન (NMBA) ની 6ઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે આ મહિને ડ્રગ્સના દુરુપયોગ સામે રાષ્ટ્રીય સમૂહ પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલય એ નોડલ મંત્રાલય છે જેનો ઉદ્દેશ્ય પ્રત્યક્ષ અને ઓનલાઈન બંને ભાગીદારી દ્વારા 10 કરોડ+ નાગરિકોને એકત્રિત કરવાનો છે.

આ સંદર્ભમાં, મંત્રાલયના સંયુક્ત સચિવ (ડ્રગ નિવારણ) ડૉ. સંદીપ રેવાજી રાઠોડની અધ્યક્ષતામાં આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાયેલી બે ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકોમાં, નશા મુક્ત ભારત અભિયાનના ઉદ્દેશ્યો અનુસાર પ્રત્યક્ષ અને ઓનલાઈન માધ્યમથી દેશવ્યાપી પ્રતિજ્ઞામાં નાગરિકોની લક્ષ્યાંકિત સંખ્યામાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેની યોજના અને વ્યાપક વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકોમાં DoSJE (DP) ના ડિરેક્ટર શ્રી આસ્તિક કુમાર પાંડે, અંડર સેક્રેટરી શ્રી અરુણ કુમાર કર્ણ ઉપરાંત મંત્રાલયના અન્ય અધિકારીઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ બેઠકોમાં અમલીકરણ વ્યૂહરચના માટે ચાલી રહેલા કામની સમીક્ષા કરવામાં આવી હતી. દેશવ્યાપી પ્રતિજ્ઞા માટે અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્વયંસેવકો અને અન્ય હિતધારકોને એકત્રિત કરવામાં લાઇન મંત્રાલયો અને વિભાગોની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં રેલવે, સંરક્ષણ, નાગરિક સંરક્ષણ, યુવા બાબતો અને રમતગમત, શાળા અને ઉચ્ચ શિક્ષણ, પોસ્ટ, પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF), એનસીસી (NCC), આયુષ, ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહેસૂલ ઉપરાંત સામાજિક, સ્વૈચ્છિક, આધ્યાત્મિક સંસ્થાઓ અને સોશિયલ ઈન્ફ્લુઅન્સર્સ સહિત સંબંધિત મંત્રાલયો અને વિભાગો હેઠળના તમામ સંલગ્ન કાર્યાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, પીએસયુ અને ફિલ્ડ ફોર્મેશન્સમાં પ્રતિજ્ઞા સમારોહ આયોજિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભાગીદારીની વિગતો અને પહોંચ સબમિટ કરવા માટે યુનિફોર્મ રિપોર્ટિંગ મેકેનિઝમ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

યોજના અને સંકલિત વ્યૂહરચના પર એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં લાઇન વિભાગો અને મંત્રાલયોના તમામ પ્રતિનિધિઓ દ્વારા સક્રિય વિચારમર્શ કરવામાં આવ્યો હતો.

NMBA પ્રતિજ્ઞા એ માદક દ્રવ્યોના સેવનનો ભોગ બનેલા લોકો સુધી પહોંચવા માટે સ્વયંસેવક બનવાની એક પહેલ છે. આ પ્રતિજ્ઞાનો ઉદ્દેશ્ય લોકોને ડ્રગ્સથી દૂર રહેવા માટે જવાબદારીની ભાવના સ્થાપિત કરવા માટે જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવાનો, હિતધારકોને એક સામાન્ય ધ્યેય તરફ એકસાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા એકતા અને પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેને પોષવાનો છે. પ્રતિજ્ઞા વધુમાં યુવાનોને ડ્રગ્સ-મુક્ત સમાજના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે.

NMBA ઈ-પ્રતિજ્ઞાની લિંક છે: https://nashamukt.dosje.gov.in/epledge

બેઠકમાં હેલ્પલાઇન—14446 દ્વારા નશા મુક્તિને પ્રોત્સાહન આપવા અને પ્રોત્સાહિત કરવા માટેના મહત્વપૂર્ણ સંદેશ પર લક્ષ્ય કેન્દ્રિત કરવા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

બેઠકમાં વિભાગની સત્તાવાર વેબસાઇટ દ્વારા નશા મુક્તિ મિત્ર તરીકે રજિસ્ટ્રેશન કરાવીને સ્વયંસેવકો તરીકે કાર્ય કરવા માટે નાગરિકોમાં ઉભરી રહેલી ભાવના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું: https://nashamukt.dosje.gov.in/nasha-mukti-mitr

કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારિકતા મંત્રાલયે દેશમાં ડ્રગ્સની માંગ સામે લડવા માટે 15મી ઓગસ્ટ 2020ના રોજ નશા મુક્ત ભારત અભિયાન (NMBA) શરૂ કર્યું હતું. સામુહિક કાર્યવાહીની તાકીદની જરૂરિયાતને ઓળખીને, મંત્રાલય નિવારણ, મૂલ્યાંકન, સારવાર, પુનર્વસન, આફ્ટરકેર, સાર્વજનિક માહિતી પ્રસારણ અને સામાજિક જાગૃતિ સહિત વિવિધ પહેલોનું સંકલન કરે છે.

મંત્રાલય નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડિમાન્ડ રિડક્શન (NAPDDR) હેઠળ એક વ્યાપક અને પુરાવા-આધારિત વ્યૂહરચનાનો અમલ કરી રહ્યું છે. આ વ્યૂહરચના નવી દિલ્હીની AIIMS ખાતે નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર (NDDTC) દ્વારા કરવામાં આવેલા ભારતમાં સબસ્ટન્સ યુઝના વ્યાપ અને પેટર્ન પરના પ્રથમ રાષ્ટ્રીય સર્વેક્ષણના નિષ્કર્ષો પર આધારિત છે.

NAPDDR હેઠળ, મંત્રાલય નિવારક શિક્ષણ, જાગૃતિ નિર્માણ, કાઉન્સેલિંગ, સારવાર અને પુનર્વસન માટે રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો, બિન-સરકારી સંસ્થાઓ (NGOs) અને સરકારી હોસ્પિટલોને નાણાકીય સહાય પૂરી પાડે છે.

આજની તારીખ સુધીમાં, આ અભિયાન દેશવ્યાપી જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા 13.71 કરોડથી વધુ યુવાનો અને 10.65 કરોડ મહિલાઓ સહિત 34.56 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચ્યું છે. સામાજિક ભાગીદારીને મજબૂત કરવા માટે 1.64 લાખથી વધુ નશા મુક્તિ મિત્રો (NMM) પણ આ અભિયાનમાં જોડાયા છે.

NMBA પોર્ટલ છે: https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan/

સારવાર સેવાઓ સુધીની પહોંચમાં સુધારો કરવા માટે, મંત્રાલયે NMBA 2.0 મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે જે નાગરિકોને નજીકના નશા મુક્તિ કેન્દ્રને શોધવામાં સક્ષમ બનાવે છે.

આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી આ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકાય છે: https://play.google.com/store/apps/details?id=com.dosje.nmba_app&hl=en_IN

સરકાર પુનર્વસન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરીને, નિવારક હસ્તક્ષેપો વધારીને, અમલીકરણ પ્રક્રિયાઓને સરળ બનાવીને અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓનું કુશળ વિતરણ સુનિશ્ચિત કરીને ડ્રગ્સ-મુક્ત અને સામાજિક રીતે સમાવેશી ભારત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખે છે. સતત સામાજિક ભાગીદારી, સુધારેલા સુશાસન અને ટેકનોલોજી-સક્ષમ સેવા વિતરણ દ્વારા, મંત્રાલય સંવેદનશીલ સમુદાયોનું રક્ષણ કરવા અને સાર્વત્રિક સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે મક્કમ રહે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2306569) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Kannada