સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રીએ દેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સંરક્ષણ ઉદ્યોગને DRDO-વિકસિત મિસાઈલ પ્રણાલીઓની ટેકનોલોજીના હસ્તાંતરણને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
25 AUG 2026 1:02PM by PIB Ahmedabad
સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનું વિઝન પ્રાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે દેશમાં જ ઉત્પાદન માટે તમામ પરંપરાગત મિસાઈલ પ્રણાલીઓની DRDO-વિકસિત ટેકનોલોજીને ભારતીય સંરક્ષણ ઉદ્યોગમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી છે. ટેકનોલોજીનું આ સ્થાનાંતરણ સ્થાનિક ઉદ્યોગોને લાગુ પડતી પાત્રતા, પ્રમાણપત્રો અને નિયામક જરૂરિયાતો અનુસાર દેશી ઉત્પાદન કરવા માટે સક્ષમ બનાવીને સંરક્ષણ ઇકોસિસ્ટમમાં તેમની વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન દર્શાવે છે.
આ જોગવાઈ મિસાઈલ સિસ્ટમ વિકાસના ઔદ્યોગિક ઉત્પાદન તરફના સફળ સંક્રમણને સક્ષમ બનાવશે, જે અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓના વિકાસ અને ઉત્પાદન માટે ભારતીય ઉદ્યોગની ક્ષમતાઓનો લાભ લેવાના DRDOના સતત પ્રયાસોને દર્શાવે છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને વધારવાનો, સંરક્ષણ ઔદ્યોગિક પાયાને મજબૂત કરવાનો અને સપ્લાય ચેઇનમાં ભારતીય MSMEs અને અન્ય ટેકનોલોજી ભાગીદારોની ભાગીદારી માટેની તકો ઊભી કરવાનો છે.
આ પહેલનો ઉદ્દેશ્ય ઓપરેશનલ ક્ષમતા વધારવા, આયાત નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિક મૂલ્યવર્ધનમાં વધારો કરવાનો છે, સાથે જ ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિને ટેકો આપવાનો છે. DRDO અદ્યતન સંરક્ષણ તકનીકોના હસ્તાંતરણ અને તેના સ્વીકાર તથા ઉપયોગને સરળ બનાવવા માટે ભારતીય ઉદ્યોગ સાથે નજીકથી કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત, દેશની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ DRDO સતત કાર્યરત રહેશે.
SM/BS/GP/JT
(रिलीज़ आईडी: 2303022)
आगंतुक पटल : 15