રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
NHRC, ભારતે હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં આવેલી એક ફેક્ટરીમાં મેનહોલની સફાઈ કરતી વખતે ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી એક વ્યક્તિના મોત અને અન્ય એક વ્યક્તિના ઇજાગ્રસ્ત થવાના અહેવાલની સુઓ મોટો સંજ્ઞાન લીધી
હરિયાણાના મુખ્ય સચિવ અને ફરીદાબાદ પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને બે અઠવાડિયાની અંદર આ બાબતે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે
અહેવાલમાં કેસની તપાસની સ્થિતિ, ઇજાગ્રસ્તનું આરોગ્ય તેમજ તેને અને મૃતકના નજીકના સગાને આપવામાં આવેલ વળતર, જો કોઈ હોય તો, તેનો સમાવેશ થવાની ધારણા છે
प्रविष्टि तिथि:
14 AUG 2026 12:30PM by PIB Ahmedabad
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC), ભારતે મીડિયા અહેવાલની સુઓ મોટો સંજ્ઞાન લીધુ છે કે 11 ઓગસ્ટ 2026ના રોજ હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના સેક્ટર-25માં આવેલી એક ફેક્ટરીમાં મેનહોલની સફાઈ કરતી વખતે ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો. અહેવાલ મુજબ, તેઓ કોઈ પણ સુરક્ષા ઉપકરણો વગર મેનહોલમાં ઉતર્યા હતા.
કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી, જો સાચી હોય, તો માનવ અધિકારોના ઉલ્લંઘનના ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે. તેથી, તેણે હરિયાણાના મુખ્ય સચિવ અને ફરીદાબાદ પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને બે અઠવાડિયાની અંદર આ બાબતે વિસ્તૃત અહેવાલ માંગ્યો છે. અહેવાલમાં તપાસની સ્થિતિ, ઇજાગ્રસ્તનું આરોગ્ય, તેમજ તેને અને મૃતકના નજીકના સગાને આપવામાં આવેલ વળતર જો કોઈ હોય તો, તેનો સમાવેશ થવાની ધારણા છે.
11 ઓગસ્ટ 2026ના રોજ પ્રકાશિત મીડિયા અહેવાલ મુજબ, ફેક્ટરીના માલિક દ્વારા કામદારોને મેનહોલ સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2299350)
आगंतुक पटल : 7