સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સરકારે અંતરજ્ઞાતિય લગ્નો માટેની ડૉ. આંબેડકર યોજના હેઠળ 457 લાભાર્થીઓને ₹10.66 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી
प्रविष्टि तिथि:
12 AUG 2026 2:48PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે રાજ્યસભાને માહિતગાર કર્યા છે કે યોજનાઓના અમલીકરણમાં પુનરાવર્તન ટાળવા માટે, 31 માર્ચ 2023 થી 'અંતરજ્ઞાતિય લગ્નો દ્વારા સામાજિક એકીકરણ માટેની ડૉ. આંબેડકર યોજના' અને 'અનસુચિત જાતિ/અનસુચિત જનજાતિ અત્યાચાર પીડિતો માટે ડૉ. આંબેડકર નેશનલ રિલીફ યોજના' ને 'નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955' અને 'અનસુચિત જાતિ અને અનસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989' ના અમલીકરણ માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના સાથે વિલય કરવામાં આવી હતી.
આ માહિતી સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ અઠાવલે દ્વારા આજે રાજ્યસભામાં શ્રી રાઘવ ચઢ્ઢાના લેખિત જવાબમાં પૂરી પાડવામાં આવી હતી.
મંત્રીશ્રીએ રજૂ કર્યું હતું કે 'નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1955' અને 'અનસુચિત જાતિ અને અનસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989' ના અમલીકરણ માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રોને કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં ઉમેર્યું હતું કે આ યોજના સંબંધિત રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રો દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને તેના અસરકારક અમલીકરણની જવાબદારી તેમની છે.

ડૉ. આંબેડકર ફાઉન્ડેશને વિલય અગાઉ ઉદ્ભવેલા 'અંતરજ્ઞાતિય લગ્નો દ્વારા સામાજિક એકીકરણ માટેની ડૉ. આંબેડકર યોજના' ને લગતા બાકી કેસોમાં નાણાકીય સહાય પૂરી પાડવાની અને પ્રક્રિયા કરવાનું ચાલુ રાખ્યું હતું. તદ્અનુસાર, 457 લાભાર્થીઓને ₹10.66 કરોડની નાણાકીય સહાય મુક્ત કરવામાં આવી છે.
વર્ષવાર વિગતો દર્શાવે છે કે 2023-24 દરમિયાન 68 લાભાર્થીઓએ, 2024-25 દરમિયાન 11 લાભાર્થીઓએ અને 2025-26 દરમિયાન 378 લાભાર્થીઓએ નાણાકીય સહાય મેળવી હતી, જેનાથી ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન લાભાર્થીઓની કુલ સંખ્યા 457 થઈ ગઈ છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2298261)
आगंतुक पटल : 23