રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ કટકમાં જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું
આપણી યુનિવર્સિટીઓએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં યુવાનો પોતાની પ્રતિભા વિકસાવી શકે અને પોતાના સપના તથા આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
प्रविष्टि तिथि:
03 AUG 2026 6:48PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (3 ઓગસ્ટ 2026) ઓડિશાના કટક ખાતે જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઓડિશા જ્ઞાન, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવાની સમૃદ્ધ પરંપરા ધરાવતી ભૂમિ રહી છે. સદીઓથી, મહાપ્રભુ જગન્નાથની આ પવિત્ર ભૂમિએ સમાવેશીતા, કરુણા અને માનવ કલ્યાણનો સંદેશ આપ્યો છે. કટક પ્રદેશ એ 'ઉત્કલ ગૌરવ' મધસુદન દાસ, 'કર્મવીર' ગૌરી શંકર રાય, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને બીજુ પટનાયક જેવા મહાન દિગ્ગજોની જન્મભૂમિ છે. તે 'ઉત્કલમણિ' પંડિત ગોપબંધુ દાસ અને 'ઉત્કલ કેસરી' ડૉ. હરેકૃષ્ણ મહતાબની પણ કાર્યભૂમિ છે. જાહેર સેવા, સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં કટકનું યોગદાન અત્યંત નોંધપાત્ર અને પ્રેરણાદાયી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આવા ગૌરવશાળી પ્રદેશમાં સ્થાપિત જગદ્ગુરુ કૃપાલુ યુનિવર્સિટી, ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને આધુનિક શિક્ષણ સાથે સાંકળીને સમાજ અને રાષ્ટ્રની સેવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે સેવા આપશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી યુવા વસ્તી ધરાવતા દેશોમાં ફેવરિટ છે. આ આપણી સૌથી મોટી સંપત્તિ છે. આ સંપત્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે, આપણી યુનિવર્સિટીઓએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં યુવાનો પોતાની પ્રતિભા વિકસાવી શકે અને પોતાના સપના અને આકાંક્ષાઓને સાકાર કરી શકે. તેમને મૂલ્ય-આધારિત શિક્ષણ પૂરું પાડવું જોઈએ. પ્રામાણિકતા, શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની કટિબદ્ધતા દ્વારા માર્ગદર્શિત નાગરિકો ઘડવાની જવાબદારી યુનિવર્સિટીઓની છે. તેમણે જણાવ્યું હતું કે યુવાનો દ્વારા મેળવેલું જ્ઞાન ત્યારે જ ખરેખર અર્થપૂર્ણ બને છે જ્યારે તેનો ઉપયોગ માનવતાની સેવા, સમાજના કલ્યાણ અને રાષ્ટ્રની પ્રગતિ માટે થાય.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ ઉદ્દેશ્યને હાંસલ કરવામાં આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે યુનિવર્સિટીઓને જ્ઞાનના કેન્દ્રો તરીકે કાર્ય કરવા આહ્વાન કર્યું હતું જ્યાં વિકસિત વિચારો અને ટેકનોલોજી સમાજની જરૂરિયાતોને પૂરી કરે. તેમણે કહ્યું કે આધુનિક જ્ઞાનને અપનાવતી વખતે, વિદ્યાર્થીઓએ નૈતિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. તેમણે એ જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો કે જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂકવાની સાથે સંશોધન, નવીનતા (ઇનોવેશન) અને ઉદ્યોગસાહસિકતાને પણ પ્રોત્સાહન આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યુનિવર્સિટી કુશળ માનવબળ, સંશોધકો અને ઉદ્યોગસાહસિકો તૈયાર કરશે જેઓ 'વિકસિત ઓડિશા' અને 'વિકસિત ભારત'ના લક્ષ્યોને સાકાર કરવામાં યોગદાન આપશે.

રાષ્ટ્રપતિજીનું પ્રવચન જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
SM/DK/JD
(रिलीज़ आईडी: 2294031)
आगंतुक पटल : 9