સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે 2026–31 માટે વધારેલી નાણાકીય ફાળવણી સાથે પીએમ-અજય (PM-AJAY) ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો


2021-22થી પીએમ-અજય હેઠળ ₹4,276.62 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી; નીતિ આયોગના મૂલ્યાંકનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આજીવિકા પર સકારાત્મક અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો

2018-19 થી આદર્શ ગ્રામ ઘટક હેઠળ 3,112 ગામોની ઓળખ કરવામાં આવી; વિસ્તૃત વ્યાપ સાથે યોજના ચાલુ રહેશે

प्रविष्टि तिथि: 28 JUL 2026 7:26PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના (PM-AJAY) દ્વારા અનુસૂચિત જાતિ (SC) સમુદાયોના સામાજિક-આર્થિક સશક્તિકરણને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે લોકસભાને માહિતી આપી હતી કે ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ (DMEO), નીતિ આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સ્વતંત્ર મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે આ યોજના અનુસૂચિત જાતિ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૈક્ષણિક પહોંચ, આજીવિકાની તકો અને જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

લોકસભામાં શ્રી રાજા એ ના એક લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, 2021-22 માં શરૂ કરવામાં આવેલી પીએમ-અજય યોજના, દેશભરમાં અનુસૂચિત જાતિ સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપવા માટે તેના ત્રણ ઘટકો—આદર્શ ગ્રામ, ગ્રાન્ટ-ઇન-એઇડ અને હોસ્ટેલ—દ્વારા અમલમાં મુકવામાં આવી રહી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ-અજયની શરૂઆતથી, કેન્દ્ર સરકારે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2025-26 સુધી યોજના હેઠળ ₹4,276.62 કરોડ મુક્ત કર્યા છે, જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ, આજીવિકા ઉત્પાદન અને શૈક્ષણિક સમર્થન માટે ₹3,185.072 કરોડના ઉપયોગની જાણ કરી છે. એકલા 2025-26 દરમિયાન જ યોજના હેઠળ ₹1,100.09 કરોડ ળવવામાં આવ્યા છે, જે વિકાસને વિસ્તારવાની સરકારની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

મંત્રાલયે વધુમાં માહિતી આપી હતી કે આદર્શ ગ્રામ ઘટક હેઠળ, 2018-19 થી 3,112 ગામોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી તમિલનાડુના 3,111 ગામોને આદર્શ ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે, જે સુધારેલી નાગરિક સુવિધાઓ અને સાર્વજનિક સેવાઓની વધુ સારી ડિલિવરી સાથે મોડેલ ગામો વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.

ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ (DMEO) ના મૂલ્યાંકન પરથી એવો નિષ્કર્ષ નીકળ્યો છે કે પીએમ-અજય યોજના સર્વસમાવેશી અને ન્યાયી વિકાસના સરકારના ઉદ્દેશ્ય સાથે સારી રીતે સુસંગત છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ યોજનાએ લાભાર્થી ગામોમાં અનુસૂચિત જાતિ સમુદાયોની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો કરવાની સાથે સાથે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, બેંકિંગ સુવિધાઓ, સંસ્થાકીય આરોગ્યસંભાળ, શિક્ષણ અને આજીવિકાની તકો સુધીની પહોંચ વધારી છે.

આ હસ્તક્ષેપોને વધુ મજબૂત કરવા માટે, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે વધારેલી નાણાકીય ફાળવણી સાથે 2026-27 થી 2030-31 સુધી પીએમ-અજયને ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવિત વિસ્તરણનો ઉદ્દેશ્ય યોજનાના વ્યાપને વિસ્તારવાનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને મજબૂત કરવાનો, ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાનો અને અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે શૈક્ષણિક સમર્થન વધારવાનો છે, જેથી વિકાસના લાભો દરેક પાત્ર પરિવાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય.

પીએમ-અજય હેઠળ લક્ષ્યાંકિત હસ્તક્ષેપો દ્વારા અનુસૂચિત જાતિ સમુદાયોને સશક્ત બનાવીને સરકાર સામાજિક ન્યાય, સર્વસમાવેશી વિકાસ અને ન્યાયી વિકાસના વિઝનને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2290735) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी