રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા

प्रविष्टि तिथि: 15 JUL 2026 2:13PM by PIB Ahmedabad

રાજ્યસભાના માનનીય અધ્યક્ષ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં બે નવા ચૂંટાયેલા સભ્યો શ્રી મન્સૂર અલી ખાન અને શ્રી રજનીશ કુમાર અગ્રવાલને શપથ લેવડાવ્યા હતા.

શ્રી મન્સૂર અલી ખાને અંગ્રેજીમાં અને શ્રી રજનીશ કુમાર અગ્રવાલે હિન્દીમાં શપથ લીધા હતા. આ બંને સભ્યો અનુક્રમે કર્ણાટક અને મધ્યપ્રદેશ રાજ્યના છે.

રાજ્યસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ; સંસદીય બાબતોના મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી એલ. મુરુગન; રાજ્યસભાના સભ્ય શ્રી જયરામ રમેશ; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી. સી. મોડી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2284763) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Kannada , Malayalam