રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
ઝારખંડના લોહરદગા જિલ્લામાં એક રહેણાંક શાળાની હોસ્ટેલમાં ચાર વિદ્યાર્થીનીઓને સાપ કરડવાના અને તેના કારણે એક વિદ્યાર્થીનીના મોત અંગેના અહેવાલ પર ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ સુઓ મોટો સંજ્ઞાન લીધું
અહેવાલ અનુસાર, વિદ્યાર્થીનીઓ જ્યારે સૂતી હતી ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો
આયોગે ઝારખંડના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો
અહેવાલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સ્વાસ્થ્ય સ્થિતિનો સમાવેશ કરવાની અપેક્ષા છે
प्रविष्टि तिथि:
13 JUL 2026 1:53PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ એક મીડિયા અહેવાલ પર સુઓ મોટો સંજ્ઞાન લીધું છે જેમાં જણાવાયું છે કે 7 જુલાઈ 2026 ના રોજ ઝારખંડના લોહરદગા જિલ્લામાં એક ઉચ્ચતર માધ્યમિક રહેણાંક શાળાની હોસ્ટેલમાં ચાર વિદ્યાર્થીનીઓને સાપ કરડ્યો હતો. તેમાંથી એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થીનીઓ તબીબી સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ, હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં રાત્રિભોજન કર્યા પછી વિદ્યાર્થીનીઓ જ્યારે સૂતી હતી ત્યારે સાપે તેમને ડંખ માર્યો હતો.
આયોગે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની વિગતો જો સાચી હોય, તો તે વિદ્યાર્થીઓના માનવ અધિકારોના ઉલ્લંઘનની ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. તેથી, આયોગે રાજ્યના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે. આ અહેવાલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની સ્વાસ્થ્ય સ્થિતિનો સમાવેશ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
10 જુલાઈ 2026 ના રોજ પ્રસિદ્ધ થયેલા મીડિયા અહેવાલ અનુસાર, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓમાંથી એકની હાલત નાજુક છે અને તેને વિશેષ સારવાર માટે રિમ્સ, રાંચી ખાતે રિફર કરવામાં આવી હતી.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2284060)
आगंतुक पटल : 16