કોલસા મંત્રાલય
કોલસા મંત્રાલયે સરફેસ કોલ/લિગ્નાઇટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની ₹37,500 કરોડની યોજના હેઠળ અરજીઓ આમંત્રિત કરી
प्रविष्टि तिथि:
08 JUL 2026 7:25PM by PIB Ahmedabad
કોલસા મંત્રાલયે સરફેસ કોલ/લિગ્નાઇટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સના પ્રમોશન માટેની યોજના હેઠળ અરજીઓ આમંત્રિત કરી છે, જેને સરકાર દ્વારા 13 મે 2026 ના રોજ ₹37,500 કરોડના કુલ નાણાકીય આઉટલે સાથે મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના સરફેસ કોલ/લિગ્નાઇટ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથેની એક મોટી પહેલ છે, જેનાથી વેલ્યુ એડિશન વધારી શકાશે, આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાશે અને ઊર્જા તેમજ કેમિકલ ક્ષેત્રોમાં વધુ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના ભારતના વિઝનને ટેકો આપી શકાશે.
આ યોજનાની મંજૂરી બાદ, 25 જૂન 2026 ના રોજ યોજનાની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, ત્યારબાદ 7 જુલાઈ 2026 ના રોજ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) પ્રસિદ્ધ કરીને પાત્ર અરજદારોને દરખાસ્તો સબમિટ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
હિતધારકોની ભાગીદારીને સરળ બનાવવા અને યોજનાની જોગવાઈઓ તેમજ અરજી પ્રક્રિયા અંગે સ્પષ્ટતા પૂરી પાડવા માટે, મંત્રાલય દ્વારા 20 જુલાઈ 2026 ના રોજ એક પ્રી-એપ્લિકેશન કોન્ફરન્સ યોજવામાં આવશે. સંભવિત અરજદારો અને અન્ય હિતધારકોને આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને સ્પષ્ટતા માટે તેમના પ્રશ્નો સબમિટ કરવા માટે જાણ કરવામાં આવે છે.
અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2026 છે.
સ્કીમ ગાઇડલાઇન્સ, રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) અને અરજીની વિગતવાર સમયરેખા કોલસા મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રસ ધરાવતી સંસ્થાઓને આ દસ્તાવેજોની સમીક્ષા કરવા માટે જાણ કરવામાં આવે છે.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2282594)
आगंतुक पटल : 14