પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને પત્ર લખ્યો, પવિત્ર તીર્થયાત્રાને પાંચ સંકલ્પો સાથે જોડી

प्रविष्टि तिथि: 03 JUL 2026 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક અમરનાથ યાત્રા કરી રહેલા ભક્તોને તેમની શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની તીર્થયાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય રહે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો એક શાશ્વત અધ્યાય છે."

પ્રધાનમંત્રીએ એ વાત પણ શેર કરી છે કે તેમણે શ્રદ્ધાળુઓને એક પત્ર લખ્યો છે, જેમાં આ પવિત્ર યાત્રાને પાંચ સંકલ્પો સાથે જોડવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી શ્રી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો શાશ્વત અધ્યાય છે. મારી કામના છે કે શિવભક્તોની આ યાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય બને! આ પવિત્ર અવસર પર શ્રદ્ધાળુઓ માટે પાંચ સંકલ્પો સાથે જોડાયેલો મારો આ પત્ર..."

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2280732) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Odia , Tamil , Telugu , Malayalam