પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથ મંદિરે મહાપૂજા અને કુંભાભિષેક કર્યો

પોસ્ટેડ ઓન: 11 MAY 2026 3:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ મંદિરે મહાપૂજા અને કુંભાભિષેક કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આ અવસર પર પોતાની ભાવના વ્યક્ત કરતાં કહયું કે આ મહાન સૌભાગ્ય પ્રાપ્ત કરવું એ તેમના જીવનની સૌથી ભાવનાત્મક અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસર પર મહાદેવની પ્રાર્થના કરવી એ એક અવિસ્મરણીય અનુભવ છે, અને ઉમેર્યું હતું કે દર્શન અને પૂજન એ અપાર આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત છે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

"સોમનાથની આ ભવ્ય અને પાવન ધરા પર મહાદેવના ચરણોમાં મહાપૂજા અને કુંભાભિષેકનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરવું જીવનની અત્યંત ભાવપૂર્ણ અને અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે. ઈશ્વર રૂપી જનતા જનાર્દનનું સ્મરણ કરતા મહાદેવના દર્શન અને પૂજનનો આ અલૌકિક અવસર, હૃદયને અનંત આધ્યાત્મિક ઊર્જા, શ્રદ્ધા અને શિવમય ચેતનાથી અભિભૂત કરી ગયો છે."

"પુનઃનિર્મિત સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યાને 75 વર્ષ પૂર્ણ થવાના વિશેષ અવસર પર મહાદેવની પ્રાર્થના કરવી એ એવો અનુભવ છે જે હું ક્યારેય ભૂલીશ નહીં. મહાદેવના દર્શન અને પૂજન એ અપાર આધ્યાત્મિક ઊર્જાનો સ્ત્રોત છે."

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2259806) મુલાકાતી સંખ્યા : 18