પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
11 MAY 2026 3:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું કે સરદાર પટેલના વિઝન અને સંકલ્પે સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે સોમનાથને તેના તમામ ગૌરવ સાથે ફરીથી ઉભરતું જોવાનું સરદાર પટેલનું સ્વપ્ન હતું, જે ભારતની સભ્યતા ગૌરવ અને આધ્યાત્મિક સાતત્યના પ્રતીક તરીકે ફરીથઈ સ્થાપિત થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશ માટે સરદાર પટેલના વિઝનને પૂર્ણ કરવા માટે રાષ્ટ્ર હંમેશા પ્રતિબદ્ધ રહેશે.
X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:
"સોમનાથ ખાતે, સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમના દ્રષ્ટિકોણ અને સંકલ્પે મંદિરના પુનર્નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે સોમનાથને તેના તમામ ગૌરવ સાથે ફરીથી ઉભું થતું જોવાનું સ્વપ્ન જોયું હતું, જે ભારતની સભ્યતા ગૌરવ અને આધ્યાત્મિક સાતત્યના પ્રતીક તરીકે ફરીથી સ્થાપિત કરવું હતું.
આપણે હંમેશા આપણા રાષ્ટ્ર માટે તેમના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ રહીશું."
સોમનાથ ખાતે મેં સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. મંદિરના પુનઃનિર્માણમાં તેમની દૂરંદેશી અને અડગ સંકલ્પે નિર્ણાયક ભૂમિકા ભજવી. સરદાર પટેલનું સ્વપ્ન હતું કે ભારતના સાંસ્કૃતિક ગૌરવ અને આધ્યાત્મિક સાતત્યનાં પ્રતીક સોમનાથને તેની સંપૂર્ણ દિવ્યતા અને ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવામાં આવે.
રાષ્ટ્ર માટેના તેમના વિઝનને સાકાર કરવા માટે આપણે હંમેશા પ્રતિબદ્ધ રહીશું.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2259800)
મુલાકાતી સંખ્યા : 13