રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ગરીબ અને મધ્યમ વર્ગને આરામદાયક સફર અને બહેતર મુસાફરીનો અનુભવ પૂરો પાડવો એ રેલવેની સર્વોચ્ચ અગ્રતા છે: કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ


રેલવે મંત્રીએ અકસ્માતોમાં ઐતિહાસિક ઘટાડો, રેકોર્ડ ફ્રેઇટ લોડિંગ અને સ્પેશિયલ ટ્રેનોના સંચાલન માટે રેલવે પરિવારને અભિનંદન પાઠવ્યા

રેલવે સ્ટેશનો એ ભારતીય રેલવેનો ચહેરો છે; અધિકારીઓએ સમર્પિત પ્રયાસો સાથે સ્વચ્છતા સુનિશ્ચિત કરવી જોઈએ: શ્રી અશ્વિની વૈષ્ણવ

આજીવિકા પ્રભાવિત ન થાય તેની ખાતરી કરો; અધિકારીઓએ રેલવે જમીન અતિક્રમણના સંવેદનશીલ મુદ્દાને માનવીય અભિગમ સાથે ઉકેલવો જોઈએ: રેલવે મંત્રી

સ્ટેશન પરિસરમાં અને બહાર બંને જગ્યાએ રેલવે ટ્રેક ઓળંગવા માટે ફૂટ ઓવરબ્રિજ કરતા અનુકૂળ અને સુલભ પુલિયા (અંડરપાસ) ને પ્રાથમિકતા આપો

પોસ્ટેડ ઓન: 03 APR 2026 5:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી, શ્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના રેલ ભવન ખાતે દેશભરના રેલવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગને સારી મુસાફરીનો અનુભવ પૂરો પાડવો એ ભારતીય રેલવેની સર્વોચ્ચ અગ્રતા છે. તેમણે તમામ અધિકારીઓને આ ધ્યેય તરફ સામૂહિક રીતે કામ કરવા આહવાન કર્યું હતું. શ્રી વૈષ્ણવે ગયા વર્ષે પ્રશંસનીય પ્રદર્શન બદલ સમગ્ર રેલવે પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે રેલ અકસ્માતોમાં ઐતિહાસિક ઘટાડો અને રેકોર્ડ ફ્રેઇટ લોડિંગ (freight loading) એ દેશભરમાં ભારતીય રેલવેની છબીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેમણે તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનોના અસરકારક સંચાલનની પણ પ્રશંસા કરી હતી, જેણે મુસાફરી માટેની વધેલી માંગને પહોંચી વળવામાં મદદ કરી હતી.

મુસાફરોના અનુભવના મહત્વ પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનો જનતા સમક્ષ ભારતીય રેલવેનો ચહેરો છે અને તેને સ્વચ્છ અને સારી રીતે જાળવવામાં આવવા જોઈએ. તેમણે અધિકારીઓને તમામ સ્ટેશનો પર સ્વચ્છતા અને સુધારેલી મુસાફરોની સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવા વિનંતી કરી હતી. છેલ્લા દાયકામાં રેલવેના આધુનિકીકરણ માટેના રેકોર્ડ ફાળવણીનો ઉલ્લેખ કરતા, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અધિકારીઓએ રેલવે સ્ટેશનોના પરિવર્તન અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે ભંડોળનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરવો જોઈએ.

કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો હતો કે પીક પિરિયડ દરમિયાન, ખાસ કરીને તહેવારોમાં ભીડ વ્યવસ્થાપનમાં સુનિશ્ચિત કરવું જોઈએ કે મુસાફરો પ્લેટફોર્મ સુધી પહોંચી શકે અને કોઈપણ અસુવિધા વિના સરળતાથી ટ્રેનમાં ચઢી શકે. તેમણે અધિકારીઓને મુસાફરોની સુવિધા અને સુલભતા સુધારવા માટે ફાળવેલ ભંડોળના ઉપયોગને પ્રાથમિકતા આપવા નિર્દેશ આપ્યો હતો.

ચાલુ રેલવે પ્રોજેક્ટ્સ માટે બાકી રહેલા જમીન સંપાદનનો મુદ્દો પણ ચર્ચાયો હતો. શ્રી વૈષ્ણવે અધિકારીઓને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા અને જો જરૂરી હોય તો, અડચણો દૂર કરવા માટે રાજ્યના મહેસૂલ અને વન વિભાગના અનુભવી નિવૃત્ત અધિકારીઓની નિપુણતા મેળવવા નિર્દેશ આપ્યો હતો.

રેલવે ટ્રેકની નજીક રહેતા લોકો સાથે સંબંધિત સંવેદનશીલ મુદ્દાને સંબોધતા, કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજીવિકા પર પ્રતિકૂળ અસર થવી જોઈએ નહીં. તેમણે રેલવે અધિકારીઓને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને આવા મામલાઓને ઉકેલવામાં માનવીય અને સંવેદનશીલ અભિગમ અપનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ઘણા શહેરી વિસ્તારોમાં આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે અને તેના સમયસર અને સહાનુભૂતિપૂર્ણ નિરાકરણની જરૂર છે.

બેઠકમાં રેલ અંડરપાસ (પુલિયા) ના નિર્માણ અંગેના અગાઉના નિર્ણયની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, જ્યાં પણ શક્ય હોય ત્યાં, સ્ટેશન પરિસરમાં અને બહાર બંને જગ્યાએ રેલવે ટ્રેક ઓળંગવા માટે ફૂટ ઓવરબ્રિજ કરતા અનુકૂળ અને સુલભ અંડરપાસને પ્રાથમિકતા આપવી જોઈએ. મંત્રીએ નોંધ્યું હતું કે અંડરપાસ વપરાશકર્તા માટે વધુ અનુકૂળ છે અને જનતા દ્વારા તેનો વધુ વારંવાર ઉપયોગ થવાની સંભાવના છે.

વધુમાં દેશના વિવિધ ભાગોમાં આવા અંડરપાસ બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માત્ર પદયાત્રીઓ માટે જ નહીં પરંતુ સાયકલ, સ્કૂટર અને મોટરસાઇકલ માટે પણ અવરજવરની સુવિધા માટે ડિઝાઇન કરવામાં આવશે અને કેટલાક કિસ્સાઓમાં, પહોળા સ્ટ્રક્ચર્સ ટ્રેક્ટર અને અન્ય વાહનોની અવરજવરને મંજૂરી આપશે. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

કેન્દ્રીય રેલવે મંત્રીએ ટ્રેનોના સમયસર સંચાલન (punctuality) ને સુનિશ્ચિત કરવામાં ઝોનના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉચ્ચ સ્તરની સમયપાલન જાળવી રાખનારા ઝોનને અભિનંદન આપ્યા હતા અને ખાસ કરીને એવા ઝોનની પ્રશંસા કરી હતી કે જેમણે ઓપરેશનલ પડકારો હોવા છતાં 85% થી વધુ સમયપાલન સુનિશ્ચિત કરીને તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે.

શ્રી વૈષ્ણવે પુનરોચ્ચાર કર્યો હતો કે સતત પ્રયાસો, કાર્યક્ષમ આયોજન અને મુસાફરો કેન્દ્રી મુકામ સાથે, ભારતીય રેલવે દેશભરના મુસાફરો માટે સુરક્ષા, સેવાની ગુણવત્તા અને એકંદર મુસાફરીના અનુભવમાં વધારો કરવાનું ચાલુ રાખશે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2248843) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Odia , Kannada