ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

શ્રી રામનાથ ગોએન્કાએ કટોકટી દરમિયાન ખાલી તંત્રીલેખ પ્રકાશિત કરીને મૌનની શક્તિ પ્રદર્શિત કરી હતી: રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સની 20મી આવૃત્તિમાં ઉપ રાષ્ટ્રપતિ


રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સ વ્યાવસાયિક સિદ્ધિ અને નિર્ભય, સૈદ્ધાંતિક પત્રકારત્વની ભાવનાની ઉજવણી કરે છે: ઉપ રાષ્ટ્રપતિ

ચર્ચા, વિચારવિમર્શ અને અસંમતિ રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લેવા તરફ દોરી જવી જોઈએ, વિક્ષેપ તરફ નહીં: ઉપ રાષ્ટ્રપતિ

અખબારોએ સંસ્થાનવાદી માનસિકતા છોડવાના પ્રયત્નોનું નેતૃત્વ કરવું જોઈએ: ઉપ રાષ્ટ્રપતિ

प्रविष्टि तिथि: 27 MAR 2026 8:26PM by PIB Ahmedabad

ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ દ્વારા આયોજિત 'રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ્સ' ની 20મી આવૃત્તિને સંબોધિત કરી હતી.

 

ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે આ પુરસ્કારો માત્ર વ્યાવસાયિક સિદ્ધિની જ નહીં પરંતુ નિર્ભય અને સૈદ્ધાંતિક પત્રકારત્વની સ્થાયી ભાવનાની પણ ઉજવણી કરે છે. આ એવોર્ડ્સ તેમના 20માં વર્ષમાં છે તે નોંધીને તેમણે કહ્યું કે તેઓ શ્રી રામનાથ ગોએન્કાના વારસાનું સન્માન છે, જે સાહસ, સ્વતંત્રતા અને સત્ય પ્રત્યેની અટલ પ્રતિબદ્ધતા દ્વારા વ્યાખ્યાયિત છે, ખાસ કરીને ભારતના ઇતિહાસના કેટલાક સૌથી પડકારજનક સમયગાળા દરમિયાન. તેમણે ઉમેર્યું હતું કે એવા યુગમાં જ્યાં મીડિયા શક્તિશાળી અને તીવ્ર તપાસ હેઠળ છે, શ્રી ગોએન્કાના આદર્શો માર્ગદર્શક પ્રકાશ સમાન છે.

ઉપ રાષ્ટ્રપતિએ ભારત છોડો આંદોલન દરમિયાન શ્રી ગોએન્કાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે તેમણે બ્રિટિશ સેન્સરશિપના વિરોધમાં અખબાર બંધ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે બંધારણ સભાના સભ્ય તરીકે શ્રી ગોએન્કાના યોગદાનને પણ યાદ કર્યું હતું, જેમાં અખબારો પરના ટેક્સ જેવા મુદ્દાઓ પર તેમના હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.

ભારતમાં કટોકટી (Emergency) નો ઉલ્લેખ કરતા, ઉપ રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે શ્રી ગોએન્કાએ ખાલી તંત્રીલેખ પ્રકાશિત કરીને મૌનની શક્તિ પ્રદર્શિત કરી હતી, જે પ્રેસની સ્વતંત્રતા અને નાગરિકના અભિવ્યક્તિના અધિકારનું શક્તિશાળી પ્રતીક બની ગયું હતું. ઉપ રાષ્ટ્રપતિએ કહ્યું કે તંત્રીઓની જેલવાસ, વીજ પુરવઠામાં વિક્ષેપ, આર્થિક નુકસાન અને હેરાનગતિનો સામનો કરવા છતાં, શ્રી ગોએન્કા લોકશાહી મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતામાં અડગ રહ્યા હતા.

ઉપ રાષ્ટ્રપતિએ અવલોકન કર્યું કે શ્રી ગોએન્કાની જીવનયાત્રા - દરભંગાથી ચેન્નાઈ અને બાદમાં વિદિશાથી સંસદ સભ્ય તરીકે - ભારતની વિવિધતામાં એકતાના સારને પ્રતિબિંબિત કરે છે. તેમણે એ પણ નોંધ્યું કે શ્રી ગોએન્કાએ વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરવા માટે અંગ્રેજીની સાથે બહુવિધ પ્રાદેશિક ભાષાઓમાં અખબારો પ્રકાશિત કર્યા હતા, અને તેમના મૂલ્યો આજે પણ ધ ઇન્ડિયન એક્સપ્રેસને નિષ્પક્ષતા, સાહસ અને સ્વતંત્રતાના પ્રતીક તરીકે વ્યાખ્યાયિત કરવાનું ચાલુ રાખે છે.

ઉપ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ચર્ચા, વિચારવિમર્શ અને અસંમતિ પણ આખરે રાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવા તરફ દોરી જવી જોઈએ, નહીં કે તેના પરિણામે વિક્ષેપ થવો જોઈએ.

તેમણે સંસ્થાનવાદી માનસિકતા છોડવા પર પ્રધાનમંત્રીના ભારને પણ યાદ કર્યો અને નોંધ્યું કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ જેવી મીડિયા સંસ્થાઓ દેશના સભ્યતાના નૈતિક મૂલ્યોમાં મૂળ ધરાવતા ભારતીય પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય વિકાસને રજૂ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ઉપ રાષ્ટ્રપતિએ પ્રગતિ, નવીનતા અને પાયાના સ્તરે પરિવર્તનની વાર્તાઓ પર પ્રકાશ પાડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સંતુલિત વર્ણનમાં પડકારો અને સિદ્ધિઓ બંનેનો સમાવેશ થવો જોઈએ.

પોતાના સંબોધનના અંતમાં, ઉપ રાષ્ટ્રપતિએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા અને પત્રકારત્વમાં ઉત્કૃષ્ટતાને ઓળખવાની પરંપરાને જાળવી રાખવા બદલ આયોજકોની પ્રશંસા કરી હતી.

SM/JY/JD


(रिलीज़ आईडी: 2246322) आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Telugu