નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

RBIએ અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારો પરના માળખાને મજબૂત બનાવ્યું


RBIના સુધારેલા નિર્દેશોમાં વળતર પદ્ધતિ રજૂ કરવામાં આવી છે, એઆઈ-સંચાલિત છેતરપિંડી વિશ્લેષણનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને નાણાકીય સાક્ષરતા અભિયાન સાથે મ્યુલ એકાઉન્ટ્સ અને સાયબર છેતરપિંડી સામે સુરક્ષા પગલાં મજબૂત કરવામાં આવ્યા છે

પોસ્ટેડ ઓન: 24 MAR 2026 4:07PM by PIB Ahmedabad

ભારતીય રિઝર્વ બેંક (RBI) 2017માં અનધિકૃત ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોની જવાબદારી મર્યાદિત કરવા અંગેની હાલની સૂચનાઓ જારી કરી હતી. જો કે, બેંકિંગ ક્ષેત્ર અને પેમેન્ટ સિસ્ટમ્સમાં ટેકનોલોજીના ઝડપી સ્વીકારને ધ્યાનમાં રાખીને, RBI એ તેની હાલની સૂચનાઓની સમીક્ષા કરી છે. ઓછી કિંમતના છેતરપિંડીભર્યા ઈલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોના કિસ્સામાં વળતર પદ્ધતિ સહિતની સુધારેલી સૂચનાઓ, 06 માર્ચ, 2026ના રોજ જાહેર જનતા / હિતધારકોની પરામર્શ માટે જારી કરવામાં આવી છે. તે આ લિંક પર ઉપલબ્ધ છે: https://www.rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=62340

ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC)ને કંપની એક્ટ, 2013 હેઠળ 16/10/2025 ના રોજ સેક્શન 8 કંપની તરીકે સામેલ કરવામાં આવી છે. તેનો પ્રાથમિક આદેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML) અને બિગ ડેટા એનાલિટિક્સ સહિતની અદ્યતન ટેકનોલોજીનો લાભ લઈને ભારતના ઝડપથી વિસ્તરતા ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં વાસ્તવિક સમયમાં (real time) છેતરપિંડી શોધવા, અટકાવવા અને વિશ્લેષણ કરવાનો છે.

સરકાર સતત ભારતીય રિઝર્વ બેંક (RBI) અને અન્ય સંબંધિત નિયમનકારો/હિતધારકો સાથે જોડાયેલી છે. દેશભરમાં સાયબર છેતરપિંડીમાં ભંડોળના ડાયવર્ઝન અને લેયરિંગ માટે મ્યુલ એકાઉન્ટ્સના દુરુપયોગને રોકવા માટે, RBI એ મ્યુલ એકાઉન્ટ શોધવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ/મશીન લર્નિંગ-આધારિત ઉકેલ “MuleHunter.AI” શરૂ કર્યો છે. આ સોલ્યુશન હાલમાં 26 બેંકોમાં કાર્યરત છે અને તેને વધુ વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. RBIએ સાયબર સક્ષમ છેતરપિંડી અને શંકાસ્પદ મની મ્યુલ્સને રોકવા અને શોધવા માટે મજબૂત સિસ્ટમ્સ અને નિયંત્રણો દ્વારા બેંકિંગ ચેનલના દુરુપયોગને ઘટાડવા માટે બેંકો દ્વારા લેવામાં આવનારી ચોક્કસ કાર્યવાહી દર્શાવતી એડવાઈઝરી પણ જારી કરી છે.

વધુમાં, બેંકોને રિયલ ટાઇમના વ્યવહાર મોનિટરિંગ માટે મજબૂત સોફ્ટવેરની તૈનાત અને અપનાવવાની ખાતરી કરવા અને શંકાસ્પદ અને છેતરપિંડીયુક્ત વ્યવહારની પેટર્ન શોધવામાં AI / ML સાધનોનો ઉપયોગ કરવા તેમજ મ્યુલ નેટવર્ક્સની ઓળખ કરવામાં નેટવર્ક એનાલિટિક્સનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

વરિષ્ઠ નાગરિકો સહિત નાગરિકોમાં સાયબર સુરક્ષા જાગૃતિ ફેલાવવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. આમાં, અન્ય બાબતોની સાથે, નીચેનાનો સમાવેશ થાય છે:

  • નાણાકીય સાક્ષરતા માટે સમુદાય-સંચાલિત નવીન અને સહભાગી અભિગમો અપનાવવાના ઉદ્દેશ્ય સાથે 2017 થી RBI દ્વારા સેન્ટર ફોર ફાઇનાન્શિયલ લિટરેસી (CFL) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. 31 માર્ચ, 2025 સુધીમાં દેશભરમાં કુલ 2,421 CFL સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં એક CFL ત્રણ બ્લોકને આવરી લે છે;
  • દેશભરના નાગરિકોમાં નાણાકીય શિક્ષણના સંદેશાનો પ્રચાર કરવા માટે 2016 થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (FLW) યોજવામાં આવે છે;
  • RBI ના મલ્ટી-મીડિયા અને બહુભાષી જાહેર જાગૃતિ અભિયાન, જેનું શીર્ષક "RBI કહેતા હૈ" છે, તે નાગરિકોમાં સુરક્ષિત બેંકિંગ પ્રથાઓ અંગે જાગૃતિ લાવવા માટે નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપે છે.
  • સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા “SEBI vs SCAM” અભિયાન ચલાવવામાં આવે છે, જે માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ (MIIs) સાથેની ભાગીદારીમાં TV, પ્રિન્ટ, રેડિયો અને સોશિયલ મીડિયા દ્વારા ચાલુ છેતરપિંડી જાગૃતિ અભિયાન ચલાવે છે. SEBI એ નાગરિકોની સુરક્ષા માટે શૈક્ષણિક સંસાધનો અને રોકાણની માહિતી પ્રદાન કરતી Saa₹thi (સારથી) મોબાઈલ એપ પણ લોન્ચ કરી છે.

આ માહિતી નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરીએ આજે રાજ્યસભામાં આપી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2244516) મુલાકાતી સંખ્યા : 23
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Punjabi