ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને નેપાળમાં બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું; ભારતીય યાત્રાળુઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
પોસ્ટેડ ઓન:
16 MAR 2026 6:33PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી સી. પી. રાધાકૃષ્ણને નેપાળમાં થયેલા દુઃખદ બસ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે, જેમાં તમિલનાડુના સાત ભારતીય યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
એક સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને આ દુઃખદ ઘટના વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેમણે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે સંબંધિત સત્તાવાળાઓ અને નેપાળમાં ભારતીય દૂતાવાસને ઘાયલો માટે સહાય અને મૃતકોના પાર્થિવ દેહને પાછા લાવવા માટે સુવિધા સહિતની તમામ જરૂરી મદદ પૂરી પાડવા જણાવ્યું છે.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2240914)
મુલાકાતી સંખ્યા : 13