કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય બજેટ 2026-27 ઐતિહાસિક, ભવિષ્યવાદી; ઉત્તર-પૂર્વ માટે મજબૂત પ્રોત્સાહન: શિવરાજ સિંહ ચૌહાણ


આસામ માટે 60,500 મેટ્રિક ટન રાયડા/સરસવની MSP પર ખરીદીને મંજૂરી આપવામાં આવી

પોસ્ટેડ ઓન: 11 FEB 2026 4:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ગુવાહાટી ખાતે કેન્દ્રીય બજેટ 2026-27 અંગે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બજેટ ઐતિહાસિક અને ભવિષ્યવાદી છે અને તે રાષ્ટ્રની સાથે સાથે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે.

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટ વિકસિત ભારતના વિઝનને પ્રતિબિંબિત કરે છે અને 2047 સુધીમાં આત્મનિર્ભર, સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બજેટ સર્વસમાવેશી વિકાસ અને સામાજિક સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે.

ઉત્તર-પૂર્વ પ્રત્યે કેન્દ્રની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (MDoNER) ને ₹ 6,812 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે અગાઉના બજેટ કરતા ₹ 897 કરોડ વધુ છે. તેમણે કહ્યું કે વધેલી ફાળવણી ક્ષેત્રમાં વિકાસને વેગ આપવા તરફ કેન્દ્ર સરકારની પ્રાથમિકતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

આસામ વિશે વાત કરતા તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2026-27 માટે ટેક્સ ડિવોલ્યુશન (કર હસ્તાંતરણ) પેટે ₹ 49,725 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. 2014 થી, આસામને ટેક્સ ડિવોલ્યુશન દ્વારા અંદાજે ₹ 3.12 લાખ કરોડ મળ્યા છે. બજેટમાં જાહેર કરાયેલ આરોગ્યસંભાળ પહેલોમાં બાયોફાર્મા શક્તિ (Biopharma SHAKTI - Strategy for Healthcare Advancement through Knowledge, Technology and Innovation) છે, જેમાં પાંચ વર્ષમાં ₹ 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનો હેતુ બિન-ચેપી રોગોના વધતા બોજને પહોંચી વળવા માટે જૈવિક અને બાયોસિમિલર્સમાં સ્થાનિક ક્ષમતાઓને મજબૂત કરવાનો છે. પહેલના ભાગરૂપે, NIPER ગુવાહાટી જેવી હયાત સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે, જે ક્ષેત્રમાં સંશોધન, નવીનતા અને કુશળ માનવશક્તિના વિકાસમાં યોગદાન આપશે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં માહિતી આપી હતી કે ખેડૂતોના કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરતા વર્ષે કૃષિ બજેટ વધારીને ₹ 1,32,561 કરોડ કરવામાં આવ્યું છે. નવીનતા અને વૈજ્ઞાનિક પ્રગતિને મજબૂત કરવા માટે કૃષિ શિક્ષણ અને સંશોધન માટે ₹ 9,967 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સસ્તું ખાતર ઉપલબ્ધ થાય અને ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય તે સુનિશ્ચિત કરવા માટે ₹ 1,70,944 કરોડની ખાતર સબસિડી પૂરી પાડવામાં આવી છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે વર્ષે બજેટમાં 21 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અંતર્ગત અગાઉના MGNREG એક્ટ હેઠળના માત્ર ₹ 86,000 કરોડની સરખામણીમાંVB - G RAM G’ એક્ટ માટે ₹ 1.51 લાખ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.

પ્રસંગે મંત્રીએ એમ પણ જાહેર કર્યું હતું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે રાજ્યમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ લઘુત્તમ ટેકાના ભાવે (MSP) રવિ 2026 સીઝન માટે 60,500 મેટ્રિક ટન રાયડો/સરસવની ખરીદી માટે આસામ સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આનાથી ખેડૂતોને વળતરદાયક ભાવ સુનિશ્ચિત થશે અને તેમને મજબૂરીમાં વેચાણ કરતા અટકાવશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશન (Mission for Aatmanirbharta in Pulses) હેઠળ નાણાકીય વર્ષ 2026-27 માટે આસામને ₹ 104.17 કરોડ ફાળવવામાં આવ્યા છે.

પ્રસંગે આસામના કૃષિ મંત્રી શ્રી અતુલ બોરા અને આસામના પશુપાલન અને વેટરનરી મંત્રી શ્રી કૃષ્ણેન્દુ પોલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2226703) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Assamese , Kannada