ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મધ્ય પ્રદેશના રીવામાં ‘કૃષક સંમેલન’ને સંબોધન કર્યું


બાસવન મામા ગૌવંશ વન વિહાર એ પ્રાકૃતિક ખેતી દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવવાનો એક સફળ પ્રયોગ છે

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની આવકમાં વધારો કરશે, પાણીનું સંરક્ષણ કરશે અને ગ્રાહકોને વિવિધ રોગોથી બચાવશે

સહકાર મંત્રાલયે જૈવિક ઉત્પાદનોના પ્રમાણપત્ર, પરીક્ષણ, પેકેજિંગ, માર્કેટિંગ અને નિકાસ માટે બે મોટી સહકારી સંસ્થાઓ બનાવી છે

રીવા ક્ષેત્રનું આ મોડેલ ફાર્મ માત્ર લાખો ખેડૂતોને માર્ગદર્શન જ નહીં આપે પરંતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર ભૂમિકા પણ ભજવશે

દરેક વ્યક્તિ પ્રકૃતિની સેવા કરવાનો અને ઓછામાં ઓછા પાંચ પીપળાના વૃક્ષો વાવવાનો સંકલ્પ લે, જે સૌથી વધુ ઓક્સિજન આપે છે

આજે દેશભરના 40 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને તેમની ઉપજ વધી રહી છે

આગામી દિવસોમાં, દેશભરની 400થી વધુ પ્રયોગશાળાઓ ખેડૂતોના ખેતરો અને ઉત્પાદનો પ્રાકૃતિક હોવા અંગેનું પ્રમાણપત્ર આપશે, જેનાથી તેમની આવકમાં દોઢ ગણો વધારો થશે

અટલજી જેવા નેતાઓ દુર્લભ છે, જેમના શબ્દો અને જીવન બંને એકબીજાના પૂરક છે

અટલજીએ માત્ર અમારી પાર્ટીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશના જાહેર જીવનમાં પ્રામાણિકતા અને પારદર્શિતાને ઘણું મહત્વ આપ્યું હતું

પોસ્ટેડ ઓન: 25 DEC 2025 7:15PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના રીવામાંકૃષક સંમેલનને સંબોધિત કર્યું હતું. પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે બાસવન મામા ગૌવંશ વન વિહાર પ્રાકૃતિક ખેતી દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને સશક્ત બનાવવાનો એક સફળ પ્રયોગ છે. તેમણે કહ્યું કે રીવા ક્ષેત્રનું મોડેલ ફાર્મ માત્ર લાખો ખેડૂતોને માર્ગદર્શન નહીં આપે પરંતુ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર ભૂમિકા પણ ભજવશે. તેમણે કહ્યું કે આજે આપણે પ્રાકૃતિક ખેતીની પરંપરાગત પદ્ધતિને ભૂલી ગયા છીએ. તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી એક એવી પદ્ધતિ છે જે ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને એવી વ્યવસ્થા બનાવે છે જે ખેડૂતોની આવક જાળવી રાખવાની સાથે શુદ્ધ અને તંદુરસ્ત પાક પણ પેદા કરે છે. તેમણે કહ્યું કે સ્વદેશી કૂળની માત્ર એક ગાય સાથે, ખાતર અને જંતુનાશકોના ઉપયોગ વિના 21 એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. શ્રી શાહે કહ્યું કે પ્રાકૃતિક ખેતી ખેડૂતોની આવકમાં વધારો કરશે, પાણીનું સંરક્ષણ કરશે અને ગ્રાહકોને વિવિધ રોગોથી બચાવશે. તેમણે કહ્યું કે આજે દેશમાં 40 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને તેમની ઉપજ વધી રહી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત સહકાર મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે બે મોટી સહકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. સહકારી સંસ્થાઓ જૈવિક પેદાશોના પ્રમાણપત્ર, વિશ્વની સૌથી અદ્યતન પ્રયોગશાળાઓમાં પરીક્ષણ, પેકેજિંગ, માર્કેટિંગ અને નિકાસની કાળજી લેશે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં દેશભરમાં 400 થી વધુ પ્રયોગશાળાઓ ખેડૂતોને તેમના ખેતરો અને ઉત્પાદનો પ્રાકૃતિક હોવાના પ્રમાણપત્રો આપશે, જેનાથી તેમની આવકમાં દોઢ ગણો વધારો થશે. શ્રી શાહે કહ્યું કે વિશ્વભરમાં જૈવિક ઉત્પાદનો માટે મોટું બજાર છે. તેમણે કહ્યું કે આજે આખું વિશ્વ માને છે કે જૈવિક ખોરાકનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. તેમણે કહ્યું કે આપણા ખેડૂતોના જૈવિક ઉત્પાદનો વિશ્વભરના બજારોમાં અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રમાણપત્ર, વૈજ્ઞાનિક પરીક્ષણ, આકર્ષક પેકેજિંગ અને માર્કેટિંગ માટેની સિસ્ટમની જરૂર છે અને અમે તમામ માધ્યમો દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દરેકે પ્રકૃતિની સેવા કરવાનો અને ઓછામાં ઓછા પાંચ પીપળાના વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ, જે સૌથી વધુ ઓક્સિજન આપે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશનો રીવા વિસ્તાર ધીમે ધીમે સમૃદ્ધ વિસ્તાર તરીકે વિકસી રહ્યો છે. તેમણે કહ્યું કે આજે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ રીવામાં આવેલો છે અને રીવાને પ્રયાગરાજ અથવા જબલપુર સાથે જોડતા ઉત્કૃષ્ટ ફોર-લેન રસ્તાઓ વિકસાવવામાં આવ્યા છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે અને રીવા તેમના મનપસંદ સ્થળોમાંનું એક હતું. શ્રી શાહે કહ્યું કે અટલજીએ માત્ર પોતાની પાર્ટીમાં નહીં પરંતુ સમગ્ર દેશના જાહેર જીવનમાં પણ પ્રામાણિકતા અને પારદર્શિતાને ઘણું મહત્વ આપ્યું હતું. તેમણે કહ્યું કે અટલજી એવા નેતાઓની શ્રેણીમાં આવે છે જેમણે પોતાના વચનો પૂરા કર્યા છે. શ્રી શાહે કહ્યું કે અટલજી જેવા નેતાઓ દુર્લભ છે, જેમના શબ્દો અને જીવન બંને એકબીજાના પૂરક છે.

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2208587) મુલાકાતી સંખ્યા : 59