મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
મે 2025થી રાષ્ટ્રીય મહિલા આયોગના 'યશોદા AI' સાક્ષરતા કાર્યક્રમ હેઠળ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારની લગભગ 2500 મહિલાઓને તાલીમ આપવામાં આવી
प्रविष्टि तिथि:
06 AUG 2025 4:13PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) મે 2025થી "યશોદા AI" નામથી મહિલાઓ માટે AI સાક્ષરતા કાર્યક્રમ ચલાવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં મહિલાઓને AI સાક્ષરતાથી સજ્જ કરવાનો છે. જેથી ડિજિટલ સમાવેશને વધારી શકાય અને તેમને સાયબર સુરક્ષા, ડિજિટલ ગોપનીયતા અને સલામત ઓનલાઈન પ્રથાઓના ક્ષેત્રોમાં સશક્ત બનાવી શકાય. આ કાર્યક્રમ હેઠળ, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોની લગભગ 2500 મહિલાઓ, જેમાં સ્વ-સહાય જૂથો (SHGs) ના સભ્યો, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમ કે સરપંચ, પ્રધાન, મેયર, ધારાસભ્યો, કોર્પોરેટર, આશા કાર્યકરો, લઘુ ઉદ્યોગસાહસિકો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ, પોલીસ અધિકારીઓ, સરકારી અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે જેમને આજ સુધી તાલીમ આપવામાં આવી છે.
આ માહિતી મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2153051)
आगंतुक पटल : 46