કૃષિ મંત્રાલય
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે, 12 જૂન 2025ના રોજ 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' હેઠળ બારડોલી, ગુજરાતમાં ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે
15 દિવસીય વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આવતીકાલે સમાપન થશે
Posted On:
11 JUN 2025 6:56PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ આવતીકાલે બારડોલી, ગુજરાત ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આ 15 દિવસીય મહાભિયાન 29 મેના રોજ ઓડિશાથી શરૂ થયું હતું. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ, શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અત્યાર સુધીમાં ઓડિશા, જમ્મુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને દિલ્હીના ખેડૂતો સાથે વાતચીત કરી ચૂક્યા છે. આ શ્રેણીમાં, આવતીકાલે તેઓ ગુજરાતના બારડોલી ખાતે ખેડૂત ભાઈ-બહેનોને મળશે અને તેમની વ્યવહારિક સમસ્યાઓ પર ચર્ચા કરશે. કાર્યક્રમ પૂર્વે કેન્દ્રીય કૃષિ મંત્રી કિસાન ચૌપાલ દ્વારા તેમને અંગત રીતે સાંભળશે.
આ કાર્યક્રમ દરમિયાન દેશભરના 16 હજાર વૈજ્ઞાનિકોની 2170 ટીમો પણ વર્ચ્યુઅલી જોડાશે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી 1 કરોડ 8 લાખ ખેડૂતો સુધી આ ટીમો પહોંચી છે.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની પ્રગતિઃ 29 મે થી 10 જૂન 2025 સુધી સંચિત આંકડા
1. મુલાકાતોની સંખ્યાઃ 55181
2. આવરી લેવાયેલા ગામોની સંખ્યાઃ 103514
3. આવરી લેવાયેલા કુલ ખેડૂતોની સંખ્યાઃ 10798290
આ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને તેમના ચોક્કસ વિસ્તારની જરૂરિયાતો, આબોહવાની પરિસ્થિતિઓ, જમીનની ફળદ્રુપતા ક્ષમતા અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને અદ્યતન ખેતી માટેના સંશોધન વિશે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ ખેડૂતોની વ્યવહારિક સમસ્યાઓ અને જરૂરિયાતોને સાંભળવા અને તેમના ઉકેલો શોધવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યના કૃષિ સંશોધનની દિશા અને નીતિઓ નક્કી કરી શકાય.
AP/IJ/GP/JD
(Release ID: 2135805)