સંસ્કૃતિ મંત્રાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભોપાલમાં લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીમાં હાજરી આપશે
31 મેના રોજ જન્મજયંતી ઉજવશે સંસ્કૃતિ મંત્રાલય
Posted On:
30 MAY 2025 4:07PM by PIB Ahmedabad
ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય, મધ્યપ્રદેશ સરકારના સહયોગથી, એક સ્વપ્નદ્રષ્ટા સુધારક, સાંસ્કૃતિક આશ્રયદાતા અને આદરણીય નેતા લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમ 31 મે 2025ના રોજ ભોપાલના જંબુરી મેદાન ખાતે યોજાશે. આ પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
લોકમાતા અહિલ્યાબાઈ હોલકરને તેમની લોકકેન્દ્રિત નીતિઓ, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક મુદ્દાઓ પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા, ખાસ કરીને મહિલાઓના જીવનને અસર કરતી સમસ્યાઓ માટે યાદ કરવામાં આવે છે. તેમણે મહિલાઓના શિક્ષણ અને સ્થાનિક સમુદાયના સામાજિક અને ધાર્મિક જીવનમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે મહિલા વણકરોને મહેશ્વરી સાડીઓ બનાવવા માટે ટેકો આપ્યો અને પ્રોત્સાહિત કર્યા હતા.
તેમના યોગદાનમાં માળખાગત વિકાસ (જળાશયો, રસ્તાઓ, ધર્મશાળાઓ) થી લઈને જમીનની લંબાઈ અને પહોળાઈમાં મંદિરોના પુનર્નિર્માણ અને પુનરુત્થાન સુધીનો સમાવેશ થાય છે. તેમના દ્વારા બનાવેલા ઈમારતોએ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિદૃશ્ય પર અમીટ છાપ છોડી છે એટલું જ નહીં પરંતુ સમયની કસોટી પર પણ ખરા ઉતર્યા છે.
કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ્સ:
- લોકમાતા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતીના માનમાં 'સ્મારક સિક્કો અને સ્ટેમ્પ'નું વિમોચન.
- ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં તેમના નોંધપાત્ર જીવન, કાર્યો અને યોગદાનને વર્ણવતા પ્રદર્શનનું પ્રદર્શન.
- લોકમાતા અહિલ્યાબાઈ હોલકર દ્વારા તેમના જીવન દરમ્યાન જાળવી રાખવામાં આવેલા સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રતિબિંબિત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ.
- આ સ્મારક કાર્યક્રમ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.
આ કાર્યક્રમ ભારતના વારસાને યાદ કરવા અને ઉજવવા અને ભારતના સાંસ્કૃતિક અને સામાજિક પાયાને આકાર આપનારા મહાન સ્વપ્નદ્રષ્ટાઓને યાદ કરવા અને તેમનું સન્માન કરવાના સંસ્કૃતિ મંત્રાલયના વર્તમાન પ્રયાસોનો એક ભાગ છે.
AP/IJ/GP/JD
(Release ID: 2132901)