ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની CCPA દ્વારા આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવાના નિર્ણયને સામાજિક ન્યાય પ્રત્યેની મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય તરીકે આવકાર્યો છે
મોદી સરકારનો આ નિર્ણય તમામ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોને સશક્ત બનાવશે અને સમાવેશને પ્રોત્સાહન આપશે
આ નિર્ણય સામાજિક સમાનતા અને દરેક વર્ગના અધિકારો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનો સંદેશ આપે છે
મુખ્ય વિપક્ષ અને તેના સાથીઓએ દાયકાઓ સુધી સત્તામાં રહીને જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો હતો અને વિપક્ષમાં રહીને તેના પર રાજકારણ રમ્યા હતા
Posted On:
30 APR 2025 6:57PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) દ્વારા આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવાના નિર્ણયને સામાજિક ન્યાય પ્રત્યેની મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય તરીકે આવકાર્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં યોજાયેલી CCPA બેઠકમાં વસ્તી ગણતરી સાથે જાતિગત ગણતરીના એકીકરણના પક્ષમાં નિર્ણય લઈને એક ઐતિહાસિક ભૂલ સુધારી છે અને સમાજના દરેક વર્ગ માટે સામાજિક સમાનતા અને અધિકારો પ્રત્યેની તેમની દ્રઢ પ્રતિબદ્ધતાનો સંદેશ આપ્યો છે.
શ્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ દાયકાઓ સુધી સત્તા સંભાળી ત્યારે જાતિગત વસતી ગણતરીનો વિરોધ કર્યો હતો. પરંતુ વિરોધમાં હતા ત્યારે તેને તેમનો ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો. આ નિર્ણય તમામ આર્થિક અને સામાજિક રીતે વંચિત વર્ગોને સશક્ત બનાવશે, સમાવેશને પ્રોત્સાહન આપશે અને વંચિતોની પ્રગતિ માટે નવા માર્ગો ખોલશે.
न्याय के लिए संकल्पित मोदी सरकार ने आज एक ऐतिहासिक निर्णय लिया है।
प्रधानमंत्री श्री
@narendramodi जी के नेतृत्व में आज हुई CCPA की बैठक में, आगामी जनगणना में जातिगत गणना को शामिल करने का निर्णय लेकर सामाजिक समानता और हर वर्ग के अधिकारों के प्रति मजबूत प्रतिबद्धता का…— Amit Shah (@AmitShah)
April 30, 2025
AP/IJ/GP/JD
(Release ID: 2125608)
Visitor Counter : 20