શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ. મનસુખ માંડવિયા કાલે ઝારખંડના રાંચીમાં નવી વિકસિત 220 બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે


કેન્દ્રીય મંત્રી ESI લાભાર્થીઓને રોકડ લાભ પ્રમાણપત્રો/મંજૂરી પત્રો અને બાંધકામ કામદારોનું સન્માન કરશે

Posted On: 16 APR 2025 4:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 17 એપ્રિલ, 2025ના રોજ ઝારખંડનાં રાંચીનાં નામકુમમાં ઝારખંડના રાંચીમાં નવી વિકસિત 220 બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સુવિધા ઝારખંડ રાજ્યમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ઇએસઆઇ) યોજના હેઠળ હેલ્થકેર ડિલિવરીને મજબૂત કરવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય શેઠ, સંસદ સભ્ય (રાજ્યસભા) શ્રી પ્રદિપ વર્મા, રાંચીનાં ખિજરીના ધારાસભ્ય શ્રી રાજેશ કછપ અને ઈએસઆઈસીના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન ડો.માંડવિયા ઈએસઆઈના લાભાર્થીઓને રોકડ લાભ પ્રમાણપત્ર/મંજૂરી પત્રો એનાયત કરશે અને સન્માનિત કરશે. તેઓ હોસ્પિટલના નિર્માણમાં સામેલ બાંધકામ કામદારોનું પણ સન્માન કરશે.

મૂળભૂત રીતે 1987માં સ્થપાયેલી નામકુમમાં ઇએસઆઇસી હોસ્પિટલની સ્થાપના વીમાકૃત્ત કામદારો અને તેમના પરિવારોને સુલભ, વાજબી અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાના પ્રાથમિક ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. ચાર દાયકાથી વધુ સમયથી તેણે રાંચી અને તેની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક કામદારોની આરોગ્ય સેવાઓની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

પ્રદેશમાં આરોગ્ય સેવાઓને વધુ વેગ આપવા માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી)એ જૂન, 2018માં 200-પથારીની હોસ્પિટલનાં નિર્માણને મંજૂરી આપી હતી. તેનું બાંધકામ 31 મે, 2018નાં રોજ શરૂ થયું હતું અને ત્યાર પછી તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે આ સુવિધાને અપગ્રેડ કરીને 220 પથારી ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવી છે. એક નોંધપાત્ર વિકાસમાં, ઇએસઆઈ કોર્પોરેશને ઓક્ટોબર 2024 માં એમબીબીએસની 50 બેઠકો સાથે મેડિકલ કોલેજની સ્થાપનાને પણ મંજૂરી આપી હતી, જેની કામગીરી નજીકના ભવિષ્યમાં શરૂ થવાની છે.

આ હોસ્પિટલ જનરલ મેડિસિન, સર્જરી, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક્સ, ઓપ્થેલ્મોલોજી (આંખ) અને ડેન્ટલ જેવા આવશ્યક વિભાગોથી સજ્જ છે, તેમજ વિવિધ સપોર્ટ સેવાઓ પણ ધરાવે છે. તે આઉટપેશન્ટ (ઓપીડી) અને ઇનપેશન્ટ (આઇપીડી) એમ બંને પ્રકારની સંભાળ પૂરી પાડે છે. જે ઇએસઆઇ લાભાર્થીઓની તબીબી જરૂરિયાતોને અસરકારક રીતે પૂર્ણ કરે છે. અપગ્રેડેડ હોસ્પિટલ હવે સ્પેશિયાલિટી અને સુપર-સ્પેશિયાલિટી સારવાર પણ પ્રદાન કરશે, જે રાંચી અને પડોશી જિલ્લાઓનાં રહેવાસીઓ માટે અત્યાધુનિક હેલ્થકેર સેવાઓની સુલભતામાં મોટો સુધારો કરશે.

આધુનિક સુવિધાથી 5 લાખથી વધારે વીમાકૃત વ્યક્તિઓ (આઇપી)ને અને તેમનાં આશ્રિતોને લાભ થશે એવી અપેક્ષા છે, જે શ્રેષ્ઠ માળખાગત સુવિધા અને વિસ્તૃત શ્રેણીની તબીબી સેવાઓ પ્રદાન કરશે. હોસ્પિટલ સંકુલમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ચાર વધારાના માળ છે, જે 7.9 એકરના કેમ્પસમાં ફેલાયેલા છે. 99.06 કરોડના ખર્ચે નવું મકાન બનાવવામાં આવ્યું છે અને 17559 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ચાર માળની ઇમારત છે, જે 03 આધુનિક ઓપરેશન થિયેટરો (ઓટી)થી સજ્જ છે અને એક વધારાના ઓપરેશન થિયેટર (ઓટી)ની જોગવાઈ ધરાવે છે. તેમાં 34 વોર્ડ અને 6 આઇસોલેશન વોર્ડ, 40 ઓપીડી રૂમ અને તમામ ડોકટરો, વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પૂરતી જગ્યા છે.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2122125) Visitor Counter : 48
Read this release in: English , Urdu , Hindi , Tamil