પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 26 FEB 2025 5:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે.

સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર તથા સાહિત્ય રસિકોને સાંત્વના...

ૐ શાંતિ...!!”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2106475) आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam