માહિતી અને પ્રસારણ મંત્રાલય
માઘ પૂર્ણિમાનું અમૃત સ્નાન પછી રાત્રિ સ્વચ્છતા અભિયાન ભક્તોને સ્વચ્છ અને પવિત્ર સ્નાનનો અનુભવ કરાવે છે; ખાસ સફાઈ વાહનો અને સેસપૂલ કામગીરી ઘાટ અને મેળાના મેદાનોમાં સ્વચ્છતા જાળવે છે
Posted On:
13 FEB 2025 7:28PM by PIB Ahmedabad
મહાકુંભ 2025 માં માઘ પૂર્ણિમા અમૃત સ્નાન પછી, સફાઇ કામદારોની એક સમર્પિત ટીમે વિસ્તૃત સફાઇ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં ઘાટ અને મેળાના મેદાનોને રાતોરાત તેમની અગાઉની સ્થિતિમાં પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતા. બુધવારે, પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં 2 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. જેમાં પુષ્પાંજલિ, કપડાં, પ્રસાદ અને અન્ય ઘન કચરો છોડી દેવામાં આવ્યો હતો. બીજી સવાર સુધીમાં પવિત્ર નદીકાંઠો સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જાય તે માટે મેદની વિખેરાઈ ગયા બાદ વહીવટીતંત્રે તરત જ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું.

વિસ્તૃત સ્વચ્છતા માટે વિશેષ સફાઈ અભિયાન અને સેસપુલ ઓપરેશન
ઘાટ અને મેળાના મેદાનમાંથી નક્કર કચરો એકત્રિત કરવા માટે ખાસ સફાઇ વાહનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વિસ્તારના તમામ જાહેર શૌચાલયોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેસપુલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેળા સ્વચ્છતા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાનોમાં માત્ર ઘાટોને જ આવરી લેવામાં આવ્યા નથી, પરંતુ મેળાના મેદાનોના તમામ મોટા રસ્તાઓ સુધી પણ વિસ્તાર કરવામાં આવ્યો છે. જે સંપૂર્ણપણે સાફ થઈ ગયા હતા અને તેની જાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટિપર ટ્રક અને કોમ્પેક્ટર્સનો ઉપયોગ કરીને ડસ્ટબિન અને લાઇનર બેગ ખાલી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મહાકુંભ વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
ભક્તો અને સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો
ભક્તો અને સ્થાનિક રહીશોએ વહીવટીતંત્ર મારફતે હાથ ધરવામાં આવેલા ઝડપી અને અસરકારક સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. ઘણા લોકોએ તેમની પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાએ સાબિત કર્યું છે કે મહાકુંભ 2025 ને એક સંગઠિત અને નિષ્કલંક કાર્યક્રમ બનાવવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.
AP/IJ/GP/JD
(Release ID: 2103002)
Visitor Counter : 33