પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
17 DEC 2024 10:23AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“કર્ણાટકના આદરણીય પર્યાવરણવિદ અને પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રીમતી તુલસી ગૌડાજીના નિધનથી ખૂબ જ દુઃખ થયું. તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ રોપવા અને આપણા પર્યાવરણને બચાવવા માટે મર્પિત કર્યું. તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે. તેમનું કાર્ય આપણા દેશની સુરક્ષા માટે પેઢીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2085081)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam