માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
શ્રી નીતિન ગડકરીએ બજેટને અદ્યતન માળખાગત સુવિધા, નવીનતા અને આગામી પેઢીમાં સુધારા, સમાજનાં દરેક વર્ગનાં વિકાસ સાથે સમૃદ્ધ ભવિષ્ય માટે પથપ્રદર્શક ગણાવ્યું
प्रविष्टि तिथि:
23 JUL 2024 1:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ બજેટને અદ્યતન માળખાગત સુવિધા, નવીનતા અને આગામી પેઢીમાં સુધારા સાથે સમૃદ્ધ ભવિષ્યની પથપ્રદર્શકતા, સમાજનાં દરેક વર્ગનો વિકાસ કરવા માટે આવકાર આપ્યો છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી ગડકરીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને સ્વપ્નદ્રષ્ટા બજેટ રજૂ કરવા બદલ હૃદયપૂર્વક આભાર અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ ગતિશીલ બ્લુપ્રિન્ટ કૃષિમાં ઉત્પાદકતા વધારવા, રોજગારી અને કૌશલ્ય વધારવા તથા માનવ સંસાધનો અને સામાજિક ન્યાયને વધારવાનું વચન આપે છે.
શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, તેનાથી ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ અને ઊર્જા સુરક્ષામાં પ્રગતિનો પવન ફૂંકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, માળખાગત સુવિધાઓ, નવીનતા, સંશોધન અને આગામી પેઢીનાં સુધારાઓ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આ અંદાજપત્ર તમામ ક્ષેત્રોમાં ભારતની નોંધપાત્ર પ્રગતિ માટેનો તખ્તો તૈયાર કરે છે.
શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે, ઉજ્જવળ, વધારે સમૃદ્ધ ભવિષ્ય આપણાં સૌની રાહ જોઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ભવિષ્યલક્ષી બજેટ સ્થાયી વૃદ્ધિ, નવીનતા અને સ્થાયી પ્રગતિને પ્રોત્સાહન આપે છે, જે પ્રધાનમંત્રીનાં દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત માટે સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ ભવિષ્યને સુનિશ્ચિત કરે છે.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2035636)
आगंतुक पटल : 135