આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે ત્રિપુરામાં ખોવાઈ-હરિના માર્ગના 135 કિલોમીટરના પટ્ટાને સુધારવા અને પહોળા કરવા માટે મંજૂરી આપી

Posted On: 27 DEC 2023 3:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રાષ્ટ્રીય રાજમાર્ગ –208નાં કિમી 101.300 (ખોવાઈ)થી કિલોમીટર 236.213 (હરિના) સુધી માર્ગનાં પાકા ખભા સાથે બે લેનમાં સુધારો કરવા અને પહોળો કરવા માટે મંજૂરી આપી છે, જે ત્રિપુરા રાજ્યમાં કુલ 134.913 કિલોમીટરની લંબાઈને આવરી લે છે.

આ પ્રોજેક્ટમાં રૂ.2,486.78 કરોડનું રોકાણ સામેલ છે, જેમાં રૂ.1,511.70 કરોડ (જેપીવાય 23,129 મિલિયન)ની લોનનો હિસ્સો સામેલ છે. આ લોન આસિસ્ટન્ટ ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (ઓડીએ) સ્કીમ હેઠળ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જેઆઇસીએ)માંથી હશે. આ પરિયોજનાની પરિકલ્પના ત્રિપુરાના વિવિધ ભાગો વચ્ચે માર્ગ કનેક્ટિવિટીને વધુ સારી રીતે સુલભ કરવા તથા વર્તમાન એનએચ-8 ઉપરાંત આસામ અને મેઘાલયને ત્રિપુરાથી વૈકલ્પિક સુલભતા પ્રદાન કરવા માટે કરવામાં આવી છે.

લાભો:

આ ક્ષેત્રની સામાજિક આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં લીધા પછી સરળ અને ગતિશીલ માર્ગ પ્રદાન કરવાની આવશ્યકતાના આધારે આ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ – 208નાં પ્રોજેક્ટનાં વિકાસથી આસામ અને ત્રિપુરા વચ્ચે એનએચ-208એ મારફતે આંતરરાજ્ય જોડાણમાં સુધારો થવાની સાથે પરિવહનનાં સમયમાં પણ ઘટાડો થશે અને પ્રવાસીઓને સુરક્ષિત કનેક્ટિવિટી પ્રદાન થશે. આ પ્રોજેક્ટનો પટ બાંગ્લાદેશની સરહદની ખૂબ જ નજીકથી પસાર થાય છે અને તેનાથી કૈલાસહાર, કમલપુર અને ખોવાઈ બોર્ડર ચેક પોસ્ટ મારફતે બાંગ્લાદેશ સાથેની કનેક્ટિવિટીમાં સુધારો થશે. પ્રોજેક્ટ રોડના વિકાસ દ્વારા આ ક્ષેત્રમાં રોડ નેટવર્કમાં સુધારણા સાથે જમીન સરહદનો વેપાર પણ સંભવિત રીતે વધશે.

આ પસંદગીનો પટ રાજ્યના કૃષિ પટ્ટા, પર્યટન સ્થળો, ધાર્મિક સ્થળો અને આદિજાતિ જિલ્લાઓને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરી રહ્યો છે, જે વૃદ્ધિ અને આવકની દ્રષ્ટિએ પછાત છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી રાજ્યને વધુ આવક થશે તેમજ સ્થાનિક જનતાને આવક પણ થશે.

પ્રોજેક્ટના પટ્ટાઓ માટે બાંધકામનો સમયગાળો 2 વર્ષનો રહેશે, જેમાં બાંધકામ પૂર્ણ થયા પછી 5 વર્ષ (ફ્લેક્સિબલ ફૂટપાથના કિસ્સામાં) / 10 વર્ષ (કઠોર ફૂટપાથના કિસ્સામાં) માટે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પટ્ટાઓની જાળવણીનો સમાવેશ થાય છે.

YP/GP/JD



(Release ID: 1990816) Visitor Counter : 87