રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય સંમેલનમાં આયોજન

Posted On: 25 OCT 2023 1:44PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂએ આજે (25 ઓક્ટોબર, 2023) રાષ્ટ્રપતિ ભવનમાં આંતરધર્મીય બેઠકને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે ધર્મ આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ આપણને પ્રતિકૂળ સંજોગોમાં રાહત, આશા અને શક્તિ પ્રદાન કરે છે. પ્રાર્થના અને ધ્યાન મનુષ્યને આંતરિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતાનો અનુભવ કરવામાં મદદ કરે છે. પરંતુ શાંતિ, પ્રેમ, પવિત્રતા અને સત્ય જેવા મૂળભૂત આધ્યાત્મિક મૂલ્યો જ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવે છે. આ મૂલ્યોથી વંચિત ધાર્મિક પ્રથાઓ આપણને લાભ આપી શકતી નથી. સમાજમાં શાંતિ અને સદભાવનાને પ્રોત્સાહન આપવા માટે સહિષ્ણુતા, એકબીજા પ્રત્યે આદર અને સંવાદિતાનું મહત્વ સમજવું જરૂરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક માનવ આત્મા સ્નેહ અને આદરને પાત્ર છે. પોતાની જાતને ઓળખવી, હાર્દરૂપ આધ્યાત્મિક ગુણો અનુસાર જીવન જીવવું અને ઈશ્વર સાથે આધ્યાત્મિક સંબંધ રાખવો એ સાંપ્રદાયિક સુમેળ અને ભાવનાત્મક એકતા માટેનું સ્વાભાવિક સાધન છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે પ્રેમ અને કરુણા વિના માનવતા ટકી શકે નહીં. જ્યારે વિવિધ ધર્મના લોકો સુમેળમાં સાથે રહે છે, ત્યારે સમાજ અને દેશનો સામાજિક તાણાવાણા વધુ મજબૂત બને છે. આ તાકાત દેશની એકતાને વધુ મજબૂત કરે છે અને તેને પ્રગતિના પથ પર લઈ જાય છે. તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ તરીકે સ્થાપિત કરવાનું અમારું લક્ષ્ય હોવાથી, આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં દરેકનો સહકાર જરૂરી રહેશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

CB/GP/JD

 



(Release ID: 1970841) Visitor Counter : 127