ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિ 1લી સપ્ટેમ્બરે મુંબઈની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ યુદ્ધ જહાજ ‘મહેન્દ્રગીરી’નું લોકાર્પણ કરશે

Posted On: 30 AUG 2023 3:34PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખર 01 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈની મુલાકાત લેશે જ્યાં તેઓ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) ખાતે બનાવવામાં આવી રહેલા યુદ્ધ જહાજ 'મહેન્દ્રગિરી'ના લોકાર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ હશે. 'મહેન્દ્રગિરી' એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A હેઠળનું સાતમું સ્ટીલ્થ ફ્રિગેટ છે, અને ચોથું MDL દ્વારા બનાવવામાં આવ્યું છે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ MDLના હેરિટેજ મ્યુઝિયમ - ધરોહરની પણ મુલાકાત લેશે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1953486) Visitor Counter : 161