રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિએ સ્વર્ગીય શ્રી એનટી રામા રાવ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો

Posted On: 28 AUG 2023 12:32PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (28 ઓગસ્ટ, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સ્વ. શ્રી એનટી રામારાવના શતાબ્દી વર્ષ પર સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો.

આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વ.શ્રી એનટી રામારાવે તેલુગુ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. તેમણે તેમના અભિનય દ્વારા રામાયણ અને મહાભારતના મુખ્ય પાત્રોમાં પ્રાણ પૂર્યા. તેમના દ્વારા ભજવવામાં આવેલા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણના પાત્રો એટલા જીવંત બન્યા કે લોકો એનટીઆરની પૂજા કરવા લાગ્યા. તેમણે નોંધ્યું હતું કે એનટીઆરએ તેમના અભિનય દ્વારા સામાન્ય લોકોની પીડા પણ વ્યક્ત કરી હતી. તેમણે તેમની એક ફિલ્મ 'માનુષુલંતા ઓક્કાટે' દ્વારા સામાજિક ન્યાય અને સમાનતાનો સંદેશો ફેલાવ્યો, એટલે કે તમામ માનવીઓ સમાન છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે એનટીઆરની લોકપ્રિયતા એક જાહેર સેવક અને નેતા તરીકે એટલી જ વ્યાપક હતી. તેમણે પોતાના અસાધારણ વ્યક્તિત્વ અને મહેનત દ્વારા ભારતીય રાજકારણમાં એક અનોખો અધ્યાય રચ્યો. તેમણે ઘણા લોક કલ્યાણના કાર્યક્રમો શરૂ કર્યા, જે આજે પણ યાદ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ NTR પર સ્મારક સિક્કો લાવવા બદલ ભારત સરકારના નાણા મંત્રાલયની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેમનું અનન્ય વ્યક્તિત્વ હંમેશા લોકોના હૃદયમાં અંકિત રહેશે, ખાસ કરીને તેલુગુ ભાષી લોકોમાં.

રાષ્ટ્રપતિના સંપૂર્ણ ભાષણ માટે કૃપા કરીને અહીં ક્લિક કરો –

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1952856) Visitor Counter : 181