પ્રધાનમંત્રીનું કાર્યાલય

77મા સ્વતંત્રતા દિવસ પર, પ્રધાનમંત્રીએ દેશનનું ભાગ્ય બદલવાના પ્રયાસો માટે નર્સો, ડૉક્ટરો અને અન્ય લોકોની પ્રશંસા કરી

પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીના સાક્ષી બનવા માટે દેશભરમાંથી 50 નર્સોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવી છે

"કોવિડે આપણને શીખવ્યું છે કે માનવ કેન્દ્રીત અભિગમ વિના વિશ્વનો વિકાસ શક્ય નથી"

“જન ઔષધિ કેન્દ્રોએ 20,000 કરોડ રૂપિયાની બચત કરીને દેશના મધ્યમ વર્ગને નવી તાકાત આપી છે. "

"જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારીને 25,000 કેન્દ્રો કરવાનો લક્ષ્યાંક છે"

Posted On: 15 AUG 2023 11:17AM by PIB Ahmedabad

નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે, 50 નર્સો અને તેમના પરિવારના સભ્યો સાથે દેશભરમાંથી લાલ કિલ્લાના કિલ્લા પરથી ઉજવણીમાં સાક્ષી આપવા અને તેમાં ભાગ લેવા માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વિશેષ મહેમાનો સરપંચો, શિક્ષકો, ખેડૂતો અને માછીમારોથી માંડીને જીવનના વિવિધ ક્ષેત્રોના 1800 વિશેષ અતિથિઓના ભાગ હતા.

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની કિસ્મત બદલવાના પ્રયાસો માટે નર્સો, ડૉક્ટરો અને અન્ય લોકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોવિડે આપણને શીખવ્યું છે કે માનવ કેન્દ્રીત અભિગમ વિના વિશ્વનો વિકાસ શક્ય નથી.

Addressing the nation on Independence Day. https://t.co/DGrFjG70pA

— Narendra Modi (@narendramodi) August 15, 2023

 

 

દેશના યુનિવર્સલ હેલ્થ કવરેજમાં સુધારો કરવાના સરકારના પ્રયાસોને ભારપૂર્વક જણાવતા તેમણે કહ્યું કે સરકારે 70,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે જે આયુષ્માન ભારતમાં જે બીપીએલ પરિવારોને રૂ. 5 લાખ વાર્ષિક સ્વાસ્થ્ય ગેરંટી પૂરી પાડે છે.

200 करोड़ वैक्सिनेशन का काम हमारी आंगनवाड़ी वर्कर, आशा वर्कर, हेल्थ वर्कर ने करके दिखाया है।#IndependenceDayIndia pic.twitter.com/3uzC6LPL3a

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 15, 2023

 

 

આ પ્રસંગે રાષ્ટ્રને સંબોધતા, તેમણે 200 કરોડથી વધુ કોવિડ રસીકરણના સીમાચિહ્નને હાંસલ કરવામાં તેમના સમર્પણ અને સતત પ્રયત્નો માટે આરોગ્ય કાર્યકરો ખાસ કરીને આંગણવાડી કાર્યકરો અને આશા કાર્યકરોના અનુકરણીય યોગદાનની પ્રશંસા કરી. "COVID દરમિયાન અને પછી વિશ્વને મદદ કરીને ભારતને વિશ્વના મિત્ર તરીકે સ્થાપિત કર્યું છે", એમ તેમણે વધુમાં નોંધ્યું.

 

 

એક ધરતી, એક સ્વાસ્થ્ય અને એક ભવિષ્યના વિઝનને ઉજાગર કરતાં તેમણે કહ્યું હતું કે જન ઔષધિ કેન્દ્રોએ 20,000 કરોડ રૂપિયાની બચત કરીને દેશના મધ્યમ વર્ગને નવી તાકાત આપી છે. તેમણે ખાતરી આપી હતી કે જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વર્તમાન 10000 કેન્દ્રોની સંખ્યાથી વધારીને 25,000 કરવાના લક્ષ્ય સાથે આગામી દિવસોમાં દેશ કામ કરવા જઈ રહ્યું છે.

CB/GP/NP



(Release ID: 1948846) Visitor Counter : 143