પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમૃત સરોવર તેમની સાથે સુમેળ સુનિશ્ચિત કરે છે જેમની સાથે આપણે આપણા ગ્રહને શેર કરીએ છીએ: પ્રધાનમંત્રી

Posted On: 27 JUL 2023 6:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમૃત સરોવરના મહત્વને રેખાંકિત કર્યું છે અને કહ્યું છે કે જળ સંરક્ષણ અને સમુદાયની ભાગીદારી ઉપરાંત, અમૃત સરોવર આપણે જેમની સાથે આપણા ગ્રહને શેર કરીએ છીએ તેમની સાથે સુમેળ સુનિશ્ચિત કરી રહ્યા છે.

આસામના કામરૂપ જિલ્લાના સિંગરા ખાતેના એક શાંત સરોવરમાં ઉનાળામાં ડૂબકી મારતા હાથીઓ વિશે આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"આહલાદક દૃશ્ય. જળ સંરક્ષણ અને સામુદાયિક સહભાગિતા ઉપરાંત, અમૃત સરોવરો પણ તેઓ સાથે સુમેળ સુનિશ્ચિત કરે છે જેની સાથે આપણે આપણા ગ્રહને શેર કરીએ છીએ."

YP/GP/JD



(Release ID: 1943387) Visitor Counter : 140