ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 20મી મેના રોજ ચંદીગઢની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ પંજાબ યુનિવર્સિટીના 70મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
Posted On:
18 MAY 2023 3:09PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 20 મે, 2023ના રોજ ચંદીગઢની મુલાકાત લેશે જ્યાં તેઓ પંજાબ યુનિવર્સિટીના 70મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહશે.
તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ, જેઓ પંજાબ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો અને સેનેટ સભ્યો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજશે.
ઉપરાષ્ટ્રપતિ પંજાબ યુનિવર્સિટી ટીચર્સ એસોસિયેશન, નોન-ટીચર્સ એસોસિયેશન અને સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યો સાથે પણ વાતચીત કરશે.
ઉપરાષ્ટ્રપતિ સિટી બ્યુટીફુલના તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન પંજાબ રાજભવનની પણ મુલાકાત લેશે.
YP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1925180)
Visitor Counter : 170