ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો


શ્રી અમિત શાહે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નેતાજીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના પુત્ર શ્રી અખિલેશ યાદવ અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

શ્રી મુલાયમ સિંહ યાદવના અવસાનથી ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો છે

શ્રી મુલાયમ સિંહ યાદવ તેમની અનન્ય રાજકીય કુશળતાથી દાયકાઓ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા

કટોકટી દરમિયાન, તેમણે લોકશાહીની પુનઃસ્થાપના માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, તેઓ હંમેશા એક જમીની સ્તરના નેતા તરીકે યાદ કરવામાં આવશે, તેમનું અવસાન ભારતીય રાજકારણના એક યુગનો અંત છે.

Posted On: 10 OCT 2022 4:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી મુલાયમ સિંહ યાદવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી અમિત શાહે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં નેતાજીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને તેમના પુત્ર અખિલેશ યાદવ અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

Image

શ્રેણીબદ્ધ ટ્વિટમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કહ્યું કે મુલાયમ સિંહ યાદવના નિધનથી ઉત્તર પ્રદેશ અને રાષ્ટ્રીય રાજનીતિમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો છે.

Image

શ્રી મુલાયમ સિંહ યાદવ તેમની અનન્ય રાજકીય કુશળતાથી દાયકાઓ સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. ઈમરજન્સી દરમિયાન તેમણે લોકશાહીની પુનઃસ્થાપના માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમને જનતા જમીની સ્તરના નેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. તેમના મૃત્યુથી ભારતીય રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.

Image

શ્રી અમિત શાહે કહ્યું કે દુઃખની આ ઘડીમાં હું તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના ચરણોમાં દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

Image

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1866539) Visitor Counter : 184