સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 113. 68 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 67.82 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.28%, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 10,197 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,28,555), 527 દિવસમાં સૌથી ઓછા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.96%) 54 દિવસથી 2% કરતા ઓછો

Posted On: 17 NOV 2021 9:33AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 67,82,042 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 113.68 કરોડ (1,13,68,79,685)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,16,73,459 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,80,957

બીજો ડોઝ

93,53,906

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,74,594

બીજો ડોઝ

1,62,19,699

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

43,57,31,810

બીજો ડોઝ

17,67,65,054

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,90,55,132

બીજો ડોઝ

10,67,80,250

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,21,81,588

બીજો ડોઝ

7,20,36,695

કુલ

1,13,68,79,685

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,38,73,890 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 12,134 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.28% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OPC0.jpg

143 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 10,197 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002Z16Q.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 1,28,555 છે, 527 દિવસમાં સૌથી નીચું છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.37% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Q0R2.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,42,177 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 62.70 કરોડથી વધારે (62,70,16,336) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.96% છે જે છેલ્લા 54 દિવસથી 2%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.82% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 44 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 79 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KHBY.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1772475) Visitor Counter : 194