માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

નાગ નદી પુનરુત્થાન પ્રોજેક્ટ-નાગપુર

Posted On: 27 OCT 2021 4:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા કલ્પના કરાયેલ નાગ નદી પુનરુત્થાન પ્રોજેક્ટ અને જે નાગપુરના લોકો માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તેને એક્સપેન્ડિચર ફાઇનાન્સ કમિટી (EFC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ટ્વીટ્સની શ્રેણીમાં મંત્રીએ માહિતી આપી કે કેબિનેટની મંજૂરી બાદ હવે 2,117 કરોડ રૂપિયાનું કામ ખરેખર શરૂ થશે. શ્રી ગડકરીએ માહિતી આપી હતી કે આ કામ માટે આઠ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે, આ પ્રોજેક્ટ હેઠળ 92 MLDની ક્ષમતાવાળા ત્રણ STP પ્રોજેક્ટ, 500 કિમી ગટર નેટવર્ક, પમ્પિંગ સ્ટેશન અને સામુદાયિક શૌચાલય બનાવવામાં આવશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1766919) Visitor Counter : 207