સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 88 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 65.34 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.85%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ

ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,77,020), કુલ કેસનાં 0.82%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.74%) 97 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 30 SEP 2021 9:42AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 65,34,306 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 88 કરોડ (88,34,70,578) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 85,92,824 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,72,470

બીજો ડોઝ

88,82,131

FLWs

પ્રથમ ડોઝ

1,83,52,116

બીજો ડોઝ

1,49,71,767

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

35,78,56,886

બીજો ડોઝ

8,10,29,611

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,88,81,646

બીજો ડોઝ

7,62,14,993

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,10,10,623

બીજો ડોઝ

5,58,98,335

કુલ

88,34,70,578

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,30,14,898 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 28,718 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.85% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0011S5X.jpg

95 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NM5V.jpg

સક્રિય કેસનું ભારણ આજે 2,77,020 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.82% છે. 195 દિવસમાં સૌથી ઓછું નોંધાયું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VG01.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,06,254 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 56.89 કરોડથી વધારે (56,89,56,439) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.  

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 97 દિવસોથી 1.74% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.56% છે. છેલ્લા 31 દિવસથી 3% કરતા ઓછો અને સતત 114 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004B62R.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1759558) Visitor Counter : 249