સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 85 કરોડના સીમાચિહ્નને પાર


છેલ્લા 24 કલાકમાં 68 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.77%

છેલ્લા 24 કલાકમાં 28,326 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,03,476) કુલ કેસનાં 0.90% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.98%) 93 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 26 SEP 2021 9:43AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 68,42,786 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 85 કરોડ (85,60,81,527) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, આ 83,64,110 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,71,245

બીજો ડોઝ

88,28,268

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,48,990

બીજો ડોઝ

1,48,10,221

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

34,66,84,035

બીજો ડોઝ

7,34,36,483

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,59,65,608

બીજો ડોઝ

7,35,71,780

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,94,61,207

બીજો ડોઝ

5,46,03,690

કુલ

85,60,81,527

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,29,02,351 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 26,032 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.77% થયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WQIT.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 28,326 નવા કેસ નોંધાયા છે.

91 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003Y04E.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,03,476 છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.90% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00457MT.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,88,945 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 56.32 કરોડથી વધારે (56,32,43,245) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.98% છે જે છેલ્લા 93 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.90% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 27 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 110 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005971E.jpg



(Release ID: 1758244) Visitor Counter : 225