PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 22 SEP 2021 4:45PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 82.65 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,964 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.90% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,01,989 થયું, 186 દિવસમાં સૌથી ઓછું
  • સાજા થવાનો દર હાલમાં 97.77% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 34,167 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,27,83,741 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 89 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.08% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 1.69% પહોંચ્યો, છેલ્લા 23 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 55.67 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

કોવિડ-19 અપડેટ

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 82.65 કરોડને પાર

સાજા થવાનો દર હાલમાં 97.77%

છેલ્લા 24 કલાકમાં 26,964 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,01,989), કુલ કેસનાં 0.90%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.08%) 89 દિવસથી 3% કરતા ઓછો

 

છેલ્લા 24 કલાકમાં 75,57,529 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 82.65 કરોડ (82,65,15,754) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 81,05,030 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,69,831

બીજો ડોઝ

87,67,189

FLWs

પ્રથમ ડોઝ

1,83,46,681

બીજો ડોઝ

1,46,16,924

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

33,47,62,522

બીજો ડોઝ

6,47,24,317

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

15,29,73,905

બીજો ડોઝ

7,07,83,297

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,79,37,287

બીજો ડોઝ

5,32,33,801

કુલ

82,65,15,754

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,27,83,741 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 34,167 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.77% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BDY4.jpg

87 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 26,964 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003D658.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,01,989 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.90% છે. માર્ચ 2020 પછી ભારતમાં સક્રિય કેસોમાં આ સૌથી ઓછો આંકડો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PPQ4.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,92,395 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 55.67 કરોડથી વધારે (55,67,54,282) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 89 દિવસોથી 2.08% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.69% છે. છેલ્લા 23 દિવસથી 3% કરતા ઓછો અને સતત 106 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 80.13 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 4.52 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે અને હજુ 48 લાખથી વધુ ડોઝ આપવાના બાકી છે

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(22 સપ્ટેમ્બર, 2021 સુધી)

પુરવઠો

80,13,26,335

આપવાના બાકી

48,00,000

બાકી ઉપલબ્ધ

4,52,07,660

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 79.74 કરોડ (80,13,26,335) થી વધુ રસી પૂરી પાડી છે અને હજુ 48 લાખથી (48,00,000) વધુ ડોઝ આપવાના બાકી છે

હાલમાં, કોવિડ-19 રસીના 4.52 કરોડ (4,52,07,660) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

 

મહત્વપૂર્ણ ટ્વીટ્સ

 

SD/GP/BT



(Release ID: 1757007) Visitor Counter : 230