સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 68.46 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 71 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.42%

છેલ્લા 24 કલાકમાં 42,766 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (4,10,048) કુલ કેસનાં 1.24% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.62%) 72 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 05 SEP 2021 9:56AM by PIB Ahmedabad

નોંધપાત્ર સિદ્ધિમાં, ભારતનું સંચિત રસીકરણ કવરેજ ગઈકાલે 68 કરોડની સીમાચિહ્ન પાર કરી ગયું. સાથે જ છેલ્લા 24 કલાકમાં 71,61,760 રસી ડોઝ આપવામાં આવ્યા. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 68.46 (68,46,69,521) રસી ડોઝ 71,39,683 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,60,742

બીજો ડોઝ

84,73,611

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,29,504

બીજો ડોઝ

1,35,42,999

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

27,04,12,926

બીજો ડોઝ

3,36,97,606

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

13,60,64,549

બીજો ડોઝ

5,77,46,049

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,93,79,209

બીજો ડોઝ

4,66,62,326

કુલ

68,46,69,521

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,21,38,092 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 38,091 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.42% સુધી પહોંચી ગયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002OE6W.jpg

70 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 42,766 નવા કેસ નોંધાયા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BTDL.jpg

સક્રિય કેસનું ભારણ આજે 4,10,048 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1.24% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZI1W.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,47,476 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 53 કરોડથી વધારે (53,00,58,218) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 72 દિવસોથી 2.62% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.45%છે. સતત 90 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005T77M.jpg

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752259) Visitor Counter : 194