સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 67.72 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 58 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.43%

છેલ્લા 24 કલાકમાં 42,618 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (4,05,681) કુલ કેસનાં 1.23% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.63%) 71 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 04 SEP 2021 9:29AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 58,85,687 રસી ડોઝના આપવામાં આવ્યા. ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 67.72 (67,72,11,205) કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 70,88,424 સત્રોનું આયોજન કરવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,60,248

બીજો ડોઝ

84,49,196

FLWs

પ્રથમ ડોઝ

1,83,28,477

બીજો ડોઝ

1,34,55,994

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

26,70,05,166

બીજો ડોઝ

3,20,99,433

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

13,52,11,337

બીજો ડોઝ

5,70,43,478

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,89,60,985

બીજો ડોઝ

4,62,96,891

કુલ

67,72,11,205

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,21,00,001 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 36,385 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.43% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NRY9.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 42,618 નવા કેસ નોંધાયા છે.

69 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003W6V9.jpg

સક્રિય કેસનું ભારણ આજે 4,05,681 છે, સક્રિય કેસ કુલ કેસનાં 1.23% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IQHB.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,04,970 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 52.82 કરોડથી વધારે (52,82,40,038) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.63% છે જે છેલ્લા 71 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.50% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 89 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005U4WJ.jpg

SD/GP/BT

 



(Release ID: 1751941) Visitor Counter : 229