પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 11 ઓગસ્ટ, 2018ના રોજ મુંબઈની મુલાકાત લેશે

Posted On: 10 AUG 2018 5:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ, 2018ના રોજ મુંબઈની મુલાકાત લેશે.

ત્યાં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, મુંબઈના 56માં પદવિદાન સમારોહમાં દીક્ષાંત સંબોધન આપશે.

પદવિદાન સમારોહ પછી પ્રધાનમંત્રી આઈઆઈટી મુંબઈમાં ઊર્જા વિજ્ઞાન અને એન્જીનિયરિંગ વિભાગ તથા પર્યાવરણ વિજ્ઞાન અને એન્જીનિયરિંગ વિભાગના નવા ભવનોનું ઉદઘાટન કરશે.

 

RP



(Release ID: 1542785) Visitor Counter : 134